Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

28 June, 2019 04:05 PM IST |

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

અમિત શાહે મુક્યું અનામત સંશોધન બિલ

અમિત શાહે મુક્યું અનામત સંશોધન બિલ


સંસદમા બજેટ સત્ર દરમિયાન શુક્રવારે ગૃહપ્રધાન અમિત શાહએ લોકસભામાં જમ્મૂ-કાશ્મીરને સંબંધિત 2 પ્રસ્તાવ જાહેર કર્યા છે. આ બિલ જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અને અનામત સંશોધન પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ચૂંટણીને લઈને કહ્યંષ હતું કે રમજાન અને અમરનાથ યાત્રાને કારણે ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં કરાવવાની યોજના છે.

અમિત શાહે મુક્યું અનામત સંશોધન બિલ



અનામત સંશોધન બિલને જાહેર કરતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આ બિલના કારણે રાજ્યના લોકોને ઘણો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સીમાની આજુ-બાજુ ગોળીબારી વચ્ચે રહેનારા લોકોને આરક્ષણનો લાભ મળવો જોઈએ. ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસનની સમય મર્યાદા પર જોતા કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા 2 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે જેને 6 મહિના સુધી વધારવામાં આવે. રમજાન અને અમરનાથ યાત્રાને જોતા રાજ્યમાં ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.


સરંક્ષણ અમાનત બિલ વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, અમે જમ્મૂ-કાશ્મીરને છેલ્લા ઘણા સમયથી મોનિટર કરી રહ્યા છે. પૂર્વ ગૃહપ્રધાન રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલો સમય સીમાની અંદર બોર્ડર એરિયામાં બંકરોનું નિર્માણ કરવામાં આવશે. જમ્મૂ-કાશ્મીરના દરેક નાગરિકની જિંદગી મહત્વની છે. કૉન્ગ્રેસે આ બિલ અને ચૂંટણીનો વિરોધ કરતા કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરની હાલત માટે ભાજપ અને પીડીપીનું ગઠબંધન જવાબદાર અને અનામત સંશોધન બિલ સંસદનો અધિકાર છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2019 04:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK