Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના મોત

અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના મોત

19 May, 2019 01:21 PM IST |

અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ પહેલીવાર નથી જ્યારે ગટર સાફ કરવા ઉતરેલા મજૂરોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય આ પહેલા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગેસ લીકેજ કે શ્વાસ રુંધાવાના કારણે મજૂરોએ જીવ ગુમાવવો પડ્યો છે. એએમસીના કમિશનર વિપુલ મહેતાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.



આ પણ વાંચો: વડોદરા-અમદાવાદ નૅશનલ હાઇવેના ટોલ ટૅક્સમાં ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો થયો


રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 01:21 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK