Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પરાઠા બાદ પોપકૉર્ન પર સરકારનો સપાટો, ૧૮ ટકા જીએસટી વસૂલાશે

પરાઠા બાદ પોપકૉર્ન પર સરકારનો સપાટો, ૧૮ ટકા જીએસટી વસૂલાશે

28 June, 2020 04:19 PM IST | Mumbai Desk
Agencies

પરાઠા બાદ પોપકૉર્ન પર સરકારનો સપાટો, ૧૮ ટકા જીએસટી વસૂલાશે

પોપકોર્ન

પોપકોર્ન


પરાઠાં પર તાજેતરમાં જ ૧૮ ટકા જીએસટી નાખવાનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો હતો. હવે થિયેટરમાં ફિલ્મ જોતાં-જોતાં ખાવા માટે લોકોની ફેવરિટ પોપકૉર્ન સરકારની આંખે ચડી છે.

રેડી ટુ ઈટ પોપકૉર્ન પર પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ઑથોરિટી ઑફ ઍડ્વાન્સ રૂલિંગની ગુજરાત બેન્ચે આપ્યો છે. જે પ્રમાણે મૉલ અને રેસ્ટોરાંમાં વેચાતા પોપકૉર્ન પર ૧૮ ટકા જીએસટી લાગુ થશે. બેન્ચનું કહેવું છે કે પોપકૉર્ન બનાવવા માટે મકાઈના દાણાને ગરમ કરીને એમાં મીઠું અને માખણ જેવી વસ્તુઓ પણ ભેળવવામાં આવે છે એટલે એના પર ૧૮ ટકા જીએસટી આપવો પડશે.
આ પહેલાં ઑથોરિટી ઑફ ઍડ્વાન્સ રૂલિંગે જ પરાઠાં પર ૧૮ ટકા જીએસટી નાખવાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે ખાખરા, સાદી રોટલી પૂરી રીતે તૈયાર વસ્તુઓ છે, જ્યારે માલાબાર પરાઠાં આ ઉત્પાદનોથી અલગ છે. એના ઉપયોગ માટે પ્રોસેસિંગની જરૂર હોય છે એટલે એના પર ૧૮ ટકા જીએસટી હોવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 04:19 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK