Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડુંગળી હવે ભારત સહિત બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ રડાવે છે

ડુંગળી હવે ભારત સહિત બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ રડાવે છે

02 October, 2019 07:00 PM IST | New Delhi

ડુંગળી હવે ભારત સહિત બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ રડાવે છે

બાંગ્લાદેશમાં પણ ડુંગળીના ભાવ વધ્યા

બાંગ્લાદેશમાં પણ ડુંગળીના ભાવ વધ્યા


New Delhi : ડુંગળી છેલ્લા ઘણા દિવસોથી ભારતના લોકોને રડાવી રહી છે. તો હવે આ ડુંગળીની અસર અન્ય એશિયાઈ દેશો પર પણ પડી છે. એટલે કે ભારતની ડુંગળી પર જે દેશ નિર્ભર છે ત્યા ડુંગળીવા ભાવ બમણા થઇ રહ્યા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ડુંગળીની કિંમત 120%(100 રૂપિયા) વધી ગઈ છે. જે 15 દિવસ પહેલાની સરખામણીએ બમણી છે અને ડિસેમ્બર 2013 બાદ સૌથી વધારે છે. શ્રીલંકાના મુખ્ય શહેરોમાં ડુંગળીના ભાવો 300 શ્રીલંકાઈ રૂપિયા(117 ભારતીય રૂપિયા)પ્રતિ કિલો થયા છે. અહીં એક સપ્તાહમાં જ ડુંગળીનો ભાવ 50% સુધી ઊંચકાઈ ગયો છે. દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ડુંગળીના ભાવ 70-80 રૂપિયા કિલો સુધી પહોંચવાના કારણે સરકારે ગત રવિવારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.


ભારતે ગત નાણાંકીય વર્ષમાં 22 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી
ભારતીય ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશે મ્યાંમાર, ઈજિપ્ત, તુર્કી અને ચીનથી સપ્લાઈ વધાર્યો છે. પરંતુ ભારતીય કાંદા પર નિર્ભરતા એટલી વધારે છે કે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. ગત નાણાંકીય વર્ષમાં ભારતે દુનિયાભરમાં 22 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. જેમાં અડધા કરતા વધારે નિકાસ એશિયાઈ દેશોમાં કરાઈ હતી.


આ કારણથી એશિયાઇ દેશો ભારત પાસેથી ડુંગણી વધુ માંગાવે છે
ચીન અને ઈજિપ્ત જેવા દેશોની સરખામણીએ ભારતથી નિકાસમાં ઓછો સમય લાગતો હોવાથી એશિયાઈ દેશો ભારતીય ડુંગળી પર વધારે નિર્ભર છે. બાંગ્લાદેશના વેપારીઓના કહ્યાં પ્રમાણે, અન્ય દેશ ભારતીય ડુંગળી પર પ્રતિબંધનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેઓ વધારે કિંમતની માંગ કરી રહ્યાં છે. ઈજિપ્તથી સપ્લાઈમાં 1 મહિનો અને ચીનથી લાવવામાં 25 દિવસનો સમય લાગે છે. જેની સરખામણીમાં ભારતને ઓછો સમય લાગે છે.

આ પણ જુઓ : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

બાંગ્લાદેશ સરકાર નુકસાન ભોગવીને સસ્તા ભાવે ડુંગળી વેચી રહી છે
હાલના સંકટને ધ્યાનમાં રાખતા બાંગ્લાદેશની સરકાર સસ્તા ભાવે ડુંગળી વેચી રહી છે. સરકારી કંપની ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશના પ્રવક્તા હુમાયૂં કબીરના કહ્યાં પ્રમાણે, આયાતના તમામ વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. હવે ઓછામાં ઓછા ડુંગળી મંગાવવાનું લક્ષ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 07:00 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK