રાષ્ટ્રપતિના ઘરે અડવાણીના અપમાનથી બીજેપી નારાજ
ADVERTISEMENT
એમાં ટોચની હસ્તીઓ સાથે બીજેપીના સિનિયર નેતા એલ. કે. અડવાણી, સુષમા સ્વરાજ તથા અરુણ જેટલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઍટ હોમ નામે ઓળખાતા આ ભોજન સમારોહમાં અડવાણી સહિતના નેતાઓને વીવીઆઇપીઓ માટેના શામિયાનાની બહાર સ્થાન આપવામાં આવતાં બીજેપીએ નારાજગી વ્યક્ત કરી હતી.
બીજેપીમાં નારાજગી ફેલાયા બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અડવાણી, સ્વરાજ તથા જેટલી સાથે ફોન પર વાત કરીને ખેદ વ્યક્ત કર્યો હતો તથા આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જરૂરી ફેરફાર કરવાની ખાતરી આપી હતી.
વીવીઆઇપી = વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, બીજેપી = ભારતીય જનતા પાર્ટી