Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે

પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે

26 December, 2020 03:51 PM IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે

પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે


અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપસર પકડાયેલા આતંકી સંગઠન અલ કાયેદાના આગેવાન અહમદ ઉમર સઇદ શેખ તથા અન્ય ત્રણ જણને મુક્ત કરવાના કરાચીની કોર્ટના હુકમનો અમલ આજે કરવામાં આવશે. જેલ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે એ ચાર જણને છોડવાના આદેશની નકલો મેળવવામાં વિલંબ થવાને કારણે તેમને શનિવારે જેલમાંથી બહાર જવા દેવામાં આવશે. અમેરિકાએ આ ચારેય આતંકવાદીઓને છોડી મૂકવાના મામલે ચિંતાની લાગણી વ્યકત કરી હતી. પાકિસ્તાનની સિંધ હાઈ કોર્ટે આ ચારેયને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. ૨૦૦૨માં ૩૮ વર્ષનો ડેનિયલ પર્લ જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને આતંકવાદી જૂથ અલ-કાયેદા વચ્ચેની સાઠગાંઠની સ્ટોરી કરી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ અને બાદમાં હત્યા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 03:51 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK