Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં 75 વર્ષના વૃદ્ધે બાવીસમાં માળેથી ઝંપલાવ્યું

કાંદિવલીમાં 75 વર્ષના વૃદ્ધે બાવીસમાં માળેથી ઝંપલાવ્યું

17 June, 2020 07:40 PM IST | Mumbai
Samiullah Khan

કાંદિવલીમાં 75 વર્ષના વૃદ્ધે બાવીસમાં માળેથી ઝંપલાવ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી પશ્ચિમમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કુદીને 75 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતક વૃદ્ધની ઓળખ બાબુ લલ્લુ રાઠોડ તરીકે થઈ છે. બાબુભાઈએ 22 માળા પરના પોતાના ફ્લેટની બાલકનીમાંથી કુદકો મારીને આત્મહત્યા કરી છે. છેલ્લા 48 કલાકમાં કાંદિવલીમાં વૃદ્ધે આત્મહત્યા કરી હોય તેવી આ બીજી ઘટના છે.

પોલીસે આપેલી માહિતી મુજબ, બાબુ ભાઈ રાઠોડ કાંદિવલી પશ્ચિમમાં આવેલી ન્યુ ભારત હાઉસિંગ સોસાયટીમાં 22મા માળે પત્ની, દીકરી અને જમાઈ સાથે રહેતા હતા. પ્રાથમિક તપાસ પ્રમાણે, બાબુભાઈ છેલ્લા દસ વર્ષથી અસ્થમાની બિમારીથી પિડાતા હતા. એટલે કદાચ બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોય. જ્યારે બાબુભાઈએ બાલકનીમાંથી ઝંપલાવ્યું ત્યારે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા. પોલીસને માહિતી મળતા જ તેઓ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હૉસ્પિટલમાં મોકલ્યો હતો.



આ બાબતે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 07:40 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK