Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાંગલીમાં ૪૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવામાં નહીં આવેઃ રસ્તાનો નકશો બદલાશે

સાંગલીમાં ૪૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવામાં નહીં આવેઃ રસ્તાનો નકશો બદલાશે

26 July, 2020 11:42 AM IST | Mumbai Desk
Agencies

સાંગલીમાં ૪૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવામાં નહીં આવેઃ રસ્તાનો નકશો બદલાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના સાંગલીના ભોસે ગામના લોકોએ ૪૦૦ વર્ષ જૂના વડના વૃક્ષને કાપવાથી બચાવ્યું છે. આ વડ સ્ટેટ હાઈવેની વચ્ચે આવી રહ્યું હતું. ગામના લોકોને ખબર પડી તો ગામના લોકો વૃક્ષને ઘેરીને ઊભા થઈ ગયા અને ચિપકો આંદોલન શરૂ કરી દીધું. આ સમાચાર કેન્દ્ર સુધી પહોંચ્યા તો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રસ્તાનો નકશો બદલવાનો નિર્ણય કરવો પડ્યો.
રત્નાગિરી-સોલાપુર હાઈવે પર આ વૃક્ષ યેલમ્મા મંદિર પાસે છે.આ લગભગ ૪૦૦ ચો.કિમીમાં ફેલાયેલું છે. આ વૃક્ષ અહીંયાના લોકોની પરંપરા સાથે જોડાયેલું છે. આ વૃક્ષ પર ઘણા પ્રકારની કીડી અને પ્રાણીઓ જોવા મળે છે.
ગામના લોકોએ સહ્યાદ્રી સંગઠન નામના એક ગ્રુપની મદદથી ફેસબુક પર આ વૃક્ષનો ફોટો અપલોડ કરવાનો શરૂ કર્યો. ઘણા એવા વીડિયો પણ પોસ્ટ કર્યા જેમાં વૃક્ષની શાખા કેટલી ફેલાયેલી છે એ પણ બતાવ્યું. આ ગ્રુપ દ્વારા ઝાડ પર કૂદકા મારી રહેલા વાંદરાઓના વીડિયો પણ પોસ્ટ કરાયા. આ ઝાડને બચાવવા માટે ઓનલાઈન પિટિશન પણ કરવામાં આવી હતી. જેના દ્વારા ૧૪ હજારથી વધુ લોકોએ વૃક્ષને બચાવવાનું સમર્થન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 11:42 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK