આ વર્ષે શહેરમાં ત્રણ લાખ ઉંદરોને મારવામાં આવ્યા
આથી સુધરાઈએ ઉંદર મારવા માટે વધુ ૭૨ લોકો નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે; પરંતુ એનાથી કશો ફરક પડવાનો નથી, કારણ કે સુધરાઈએ સમસ્યાના મૂળમાં પહોંચવાની જરૂર છે. સુધરાઈના જંતુનાશક વિભાગના ચીફ ઑફિસર અરુણ બામણેએ કહ્યું હતું કે ‘એક ઉંદરની જોડી એક વર્ષમાં ૧૦૦૦ બચ્ચાં પેદા કરે છે. આ બચ્ચાંઓ માત્ર બે મહિનામાં પુખ્ત બની જાય છે અને પ્રજોત્પત્તિ કરવા માંડે છે. આથી જો ઉંદરના ઉપદ્રવ પર કાબૂ મેળવવો હોય તો ઉંદરોની પ્રજોત્પત્તિ અટકાવવી જોઈએ.’
ADVERTISEMENT
૨૦૧૦માં ૩,૪૮,૩૬૧ ઉંદરોને મારવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષના નવેમ્બર સુધીમાં ૩,૧૬,૩૦૫ ઉંદરોનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.