Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી કરે છે. (તસવીરો: મિડ-ડે)

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણીની તસવીરો સાથે જાણો તહેવાર વિશેની આ રસપ્રદ બાબતો

હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
દેશભરમાં રામ નવમી અને નવરાત્રિ વિધિઓ પણ કરવામાં આવી (તસવીરો: મિડ-ડે)

સંપૂર્ણ ભારતમાં રામ નવમી 2025ની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી, જુઓ તસવીરો

ભારતના વિવિધ રાજ્યોમાં રામ નવમી 2025 ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી. ભગવાન રામના જન્મની ઉજવણી કરતો આ પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. મંદિરોમાં દર્શન કરવાથી લઈને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ કરવા સુધી, દેશભરથી ઉજવણીની ઝલક સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

07 April, 2025 07:02 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
કવિ રમેશ આચાર્ય

કવિવાર : હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે- અલવિદા કવિ રમેશ આચાર્ય

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. તાજેતરમાં જ ગુજરાતી ભાષાએ કવિ રમેશ આચાર્યને ગુમાવ્યા. ગૌરવ સાથે પોતાની કલમે `હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે` એવું લખનાર રમેશ આચાર્યની રચનાઓ થકી એમને શ્રદ્ધાંજલિ આપીએ. લીંબડી મુકામે જન્મેલા આ કવિએ પોતાના પિતા કવિશ્રી રવિશંકરભાઈ આચાર્યનો શબ્દવારસો સાચવ્યો. રમેશ આચાર્યના પુત્ર દર્શક આચાર્ય પણ જાણીતા સર્જક છે. ક્યાંક રમેશભાઈએ પોતે જ નોંધ્યું છે કે એમનો ઉછેર વગડાઉ વનસ્પતિની જેમ થયો. સ્નાતકની પદવી લઈ તેઓ બેન્કર તરીકે નોકરીએ જોડાયા. કવિએ ૧૯૭૮માં `ક્રમશઃ` નામનો મોનોઇમેજનો કાવ્યસંગ્રહ આપ્યો. ત્યારબાદ તેમની શબદયાત્રામાં `હાઈફન`, `મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે`, `ઘર બદલવાનું કારણ`, `પાથરણાવાળો`, `ડોકે ચાવી બાંધેલ કાગડો`, `ઓસરેલાં પૂર` વગેરે સંગ્રહો ઉમેરાયા.

02 April, 2025 07:00 IST | Mumbai | Dharmik Parmar
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK