Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

આજના કવિવારના એપિસોડમાં કવિ વિનોદ જોશીની રચનાઓ

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar
કચ્છના માધાપરમાં રનવે બનાવતી મહિલાઓ

જ્યારે પાકિસ્તાનને ભારે પડી હતી કચ્છના માધાપરની મર્દાનીઓ

૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે મા ભોમની રક્ષા કાજે જ્યારે હાકલ પડી ત્યારે કચ્છના માધાપર ગામની મહિલાઓ એક પળનો કે પોતાના જીવનોય વિચાર કર્યા વિના મેદાનમાં ઊતરી હતી: ઉપરથી પાકિસ્તાનનાં લડાકુ વિમાનો પસાર થાય અને નીચે ગભરાયા વિના વાયુસેનાની સાથે ખભેખભો મિલાવીને મહિલાઓએ રનવે તૈયાર કર્યો, જેના પરથી વાયુસેનાનાં વિમાનોએ ઉડાન ભરીને પાકિસ્તાનનો ખુડદો બોલાવી દીધો હતો: મિડ-ડેએ એ મહિલાઓ સાથે વાત કરી જેમણે રનવે તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી

12 May, 2025 07:00 IST | Gandhinagar | Shailesh Nayak
આજનું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર

આસ્થાનું એડ્રેસ : વાલપખાડીના આ મંદિરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ પણ આવી ચૂક્યાં છે!

આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડીમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર સાથે મેઘવાડ કમ્યુનિટિ અને ઠક્કરબાપાનું નામ જોડયેલું છે. વર્ષ ૧૯૨૩માં અહીં ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લોકોના બાળકો અહીં ભણવા આવતા. ત્યાં ઠક્કરબાપાને વિચાર આવેલો કે લોકોમાં ધાર્મિક ભાવના જન્મે એ માટે મંદિરનું નિર્માણ કરવું. મંદિર સાથે સંકળાયેલા કિશન ડોડીયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી આ મંદિર વિષેની રોચક વાતો તમારા સુધી પહોંચાડવી છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 May, 2025 07:05 IST | Mumbai | Dharmik Parmar
આ છે અનુઠાં તપસ્વી રત્નો

આકરામાં આકરું તપ વિપરીતમાં વિપરીત સંજોગોમાં પણ થઈ શકે છે એ આનું નામ

૪૦૦ દિવસની તપશ્ચર્યામાં ૨૨૦ ઉપવાસ અને ૧૮૦ દિવસ બે ટાઇમ નિશ્ચિત સમયે એકાંતરે ભોજન. જૈનોના વર્ષીતપ તરીકે ઓળખાતા આ લૉન્ગેસ્ટ તપની આજે પૂર્ણાહુતિ કરી રહેલા કેટલાક એવા તપસ્વીઓને મળીએ જેમણે અઢળક પડકારો વચ્ચે પણ પોતાના તપને અધવચ્ચે રોક્યું નહીં. સંજોગો સામે ટકી રહીને નિષ્ઠાપૂર્વક ત્યાગ અને ધર્મ માટેનું સમર્પણ તેમણે અકબંધ રાખ્યું એની રોમાંચ અને પ્રેરણાભરી વાતો જાણવા વાંચો આગળ. જીવદયાની જેમ જ તપ અને ત્યાગની બાબતમાં પણ જૈન દર્શન મુઠ્ઠીઊંચેરું છે. ‘જૈનોના ઉપવાસ તો બાપા બહુ જ આકરા’ એવું ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે. જોકે સાવ એવું નથી. તપના મામલામાં વ્યક્તિને તેની ક્ષમતા મુજબ આગળ વધવાના અઢળક પર્યાયો આ ધર્મની પરંપરામાં મળી જશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ખાઈ શકાય એવું નવકારશીનું પણ તપ છે અને ભૂખ કરતાં ઓછું ખાઈને ઊણોદરી તપનો પર્યાય પણ છે. એક ટાઇમ જમવાનું એકાસણું, એક ટાઇમ રસ વિનાનું ભોજન લેવાનું આયંબિલ, બે ટાઇમ ભોજન લેવાનું એટલે કે બિયાસણું. બીજી બાજુ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ઉકાળીને ઠારેલું પાણી પી શકાય એવા નકોરડા ઉપવાસ તો પાણી પણ નહીં એવો ચૌવિહારો ઉપવાસ, એમાં પાછા બે દિવસના નકોરડા ઉપવાસ એટલે કે છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે કે અઠ્ઠમ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ, ત્રીસ ઉપવાસ એટલે કે માસક્ષમણ એમ મલ્ટિપલ પર્યાયો જૈનોની ફાસ્ટિંગ પરંપરામાં મળશે. એક ટાઇમથી લઈને એક વર્ષ અને એથીયે લાંબા ચાલતા તપમાં સૌથી લાંબા તપમાં જેનું નામ પ્રમુખ લેવું પડે એવું તપ એટલે વર્ષીતપ. ૪૦૦ દિવસની આ તપશ્ચર્યામાં સામાન્ય રીતે એક દિવસ બિયાસણું એટલે કે બે ટાઇમ ખાવાનું અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય. વચ્ચે ક્યારેક એકસાથે બે નકોરડા ઉપવાસ કરવાના પણ આવે અને એમાં કેટલાક ત્યાગને વરેલા તપસ્વીઓ પોતાની રીતે બે ટાઇમ ભરપેટ જમવાને બદલે એકાસણાં અને આયંબિલ કરીને એને વધુ કઠિન બનાવીને પણ કરે. આ તપની સૌથી મોટી ખાસિયત એટલે સળંગ ૪૦૦ દિવસ સુધી એક પણ બ્રેક કે ગૅપ વિના આ આહાર અને ઉપવાસના આ રૂટીનને અનુસરવાનું હોય. કાંદિવલી ઈસ્ટમાં દામોદરવાડીમાં આવેલા ઝાલાવાડી જૈન સંઘમાં અત્યારે ૫૨૫ લોકોએ આ વર્ષીતપ કર્યું છે. એકસાથે એક જ ઠેકાણે આટલા મોટા પ્રમાણમાં લોકો વર્ષીતપ કરી રહ્યા હોય એ વાત પોતાનામાં ઇતિહાસ સમાન છે. આખા મુંબઈમાં જુદે-જુદે ઠેકાણે રહેતા લોકો આ વર્ષીતપમાં જોડાયા છે અને આજે તેમના આ લૉન્ગેસ્ટ તપનું પારણું છે. તપ અને ત્યાગ જ્યારે તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની જાય ત્યારે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારી ઇચ્છાશક્તિ સાથે નિયમોને વળગી રહો છો. આ વાતને આત્મસાત કરનારા વર્ષીતપ કરી રહેલા કેટલાક અનૂઠા તપસ્વીઓ સાથે અમે મુલાકાત કરી અને જાણી તેમની યુનિક વાતો.

01 May, 2025 06:45 IST | Mumbai | Ruchita Shah
NCPAના થિએટર ફેસ્ટિવલમાં સૌમ્ય જોશી, અમાત્ય ગોરડિયા અને અંકિત ગોરે દર્શકોને પોતાના સર્જન અને વાતો સાથે જોડાયેલા રાખ્યાં

NCPA ગુજરાતી થિએટર ફેસ્ટિવલ વસંતની તસવીરી ઝલકઃ ભાષા, નાટક, લખાણ અને ગરબા પણ

25થી 27 એપ્રિલ દરમિયાન NCPA ગુજરાતી થિએટર ફેસ્ટિવલ વસંતમાં અફલાતુન નાટકો, લેખન કાર્યશાળા અને કવિતાનો જલસો યોજાયો. આ ફેસ્ટિવલની તસવીરી ઝલક સંસ્થાનની પ્રતિબદ્ધતાની નિશાની છે. સંસ્થાના ચેરમેને ખુશરુ સંત્ટોકે આ પ્રસંગે મીડિયામાં પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે,"અમને અમારા ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ, વસંતને પુનર્જીવિત કરવાનો આનંદ છે, જેમાં ત્રણ દિવસ સુધી રજૂ થનારા આકર્ષક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બોલ્ડ, આધુનિક અવાજો છે જેમને NCPA કરતાં વધુ યોગ્ય જગ્યા બીજી કોઈ ન મળી શકે."

01 May, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અખા ત્રીજે કરવા જેવા ન ટાળવા જેવાં કામ વિષે જાણી લેજો

અખા ત્રીજે શું કરશો ને શું ટાળશો તો આખું વર્ષ સુખ-સમૃદ્ધિ-ઐશ્વર્યથી છલકાશે!

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું મહત્વ ઘણું જ છે. દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયાએ આ તિથિ ઊજવાય છે. આ વર્ષે ૩૦મી એપ્રિલે આ તિથિ ઊજવાશે ત્યારે જાણી લઈએ કે આ દિવસે કયા ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

30 April, 2025 07:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રીનાથજીના આઠ સમાનાં દર્શનની ઝાંખી

ઘરના લગ્નપ્રસંગે મુંબઈમાં નાથદ્વારા ઊભું કરીને ભવ્ય સત્સંગ કરાવ્યો આ પરિવારે

મનની ઇચ્છા પૂરી કરવા તથા આજના યુવા વર્ગને પુષ્ટિમાર્ગ એટલે કે ભક્તિમાર્ગથી અવગત કરાવવાના હેતુથી વિલે પાર્લેના મશરૂ પરિવારે તેમના દીકરાની લગ્નવિધિઓ શરૂ થાય એ પહેલાં શ્રીનાથજીનાં આઠ સ્વરૂપની અલૌકિક ઝાંખીનાં દર્શન કરાવ્યાં.

30 April, 2025 06:53 IST | Mumbai | Kajal Rampariya
આજના કવિવારના એપિસોડમાં કવિ શ્યામ સાધુની રચનાઓ

કવિવાર : ગઝલોનું સરોવર લઈને નીકળી પડેલા કવિ શ્યામ સાધુ

આજે આપણે વાત કરવાની છે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક શ્યામ સાધુની. મૂળ નામ તો શામળદાસ સોલંકી. જુનાગઢ કવિનું વતન. મેટ્રિક સુધીનો અભ્યાસ. તેઓએ વિશેષ કરીને ગુજરાતી ગઝલમાં આગવું પ્રદાન કર્યું છે. તેમની ગઝલમાં ગિરનારી મિજાજ અનુભવાય છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

29 April, 2025 10:21 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK