Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ-ચાર બાયોપિક નિષ્ફળ જશે એટલે આ ટ્રેન્ડ પણ નીકળી જશે : વિક્રમ ભટ્ટ

ત્રણ-ચાર બાયોપિક નિષ્ફળ જશે એટલે આ ટ્રેન્ડ પણ નીકળી જશે : વિક્રમ ભટ્ટ

27 March, 2019 11:03 AM IST |

ત્રણ-ચાર બાયોપિક નિષ્ફળ જશે એટલે આ ટ્રેન્ડ પણ નીકળી જશે : વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ


વિક્રમ ભટ્ટનું કહેવું છે કે કોઈ પણ ટ્રેન્ડ પાછળ લોકો આંધળી દોટ મૂકે તો એ ટ્રેન્ડ જલદી બંધ થઈ જાય છે. વિક્રમ ભટ્ટે હાલમાં જ એક બુક-લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. બાયોપિકના ટ્રેન્ડ વિશે પૂછવામાં આવતાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘તમે જ્યારે બાયોપિક બનાવો છો ત્યારે તમને રેડીમેડ સ્ટોરી મળી જાય છે. આ સ્ટોરી કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવી હોય છે અથવા તો એની ચર્ચા પબ્લિક ડોમેનમાં થતી રહેતી હોય છે. એવી કેટલીક સ્ટોરી છે જે લોકોને નથી ખબર, પરંતુ એમ છતાં સ્ક્રીન પર એ જોવાનું પસંદ કરે છે. હું ૨૬-૨૭ વર્ષથી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છું અને એ પહેલાંનાં દસ વર્ષ હું અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. મારી આ મુસાફરીમાં મેં ઘણા ટ્રેન્ડ જોયા છે. લોકો એક-બે ફિલ્મ સફળ થતાં એની પાછળ આંધળી દોટ મૂકતા હોવાથી એ ટ્રેન્ડમાં આવે છે. બાયોપિક સફળ રહી તો લોકો બાયોપિક બનાવવા માંડશે, કૉમેડી સફળ રહી તો કૉમેડી બનાવશે અને ઍક્શન સફળ રહી તો ઍક્શન બનાવશે. દરેકનો એક સમય હોય છે અને આ સમય કેટલો સમય ચાલે એ આપણે જોવો રહ્યો. જો ત્રણ-ચાર બાયોપિક નિષ્ફળ રહી તો આ ટ્રેન્ડ પણ બંધ થઈ જશે.’

આ પણ વાંચો : નોટબુકમાં પહેલાં કામ કરવાનો હતો સલમાન



હું કઈ વ્યક્તિના જીવન પર ફિલ્મ બનાવવા માગું છું અને એ સ્ટોરી મારા દિલની સાથે કનેક્ટ થાય છે કે નહીં એના પર છે કે હું બાયોપિક બનાવું કે નહીં.


- વિક્રમ ભટ્ટ, બાયોપિક બનાવવા વિશે


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 11:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK