વરિષ્ઠ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાવકરનું નિધન
તસવીર સૌજન્યઃ આશાલતા વાબગાવકરનું અધિકૃત ફેસબુક અકાઉન્ટ
સતારાના ફલટણ તાલુકામાં મરાઠી સિરિયલ ‘માઝી આઈ કાળુબાઈ’નું શૂટિંગ ચાલુ હતું. દરમ્યાન અમૂક કલાકારોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમાં વરિષ્ઠ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાવકરનો પણ સમાવેશ હતો.
16મી સપ્ટેમ્બરે તેમને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારે જ સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત ગંભીર છે. તેમનું ઑક્સિજન લેવલ ઓછું-વધારે થતું હતું. જોકે કોરોના સામેની લડાઈ તે હારી ચૂકયા છે.
ADVERTISEMENT
ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામતે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.
Deeply pained by the passing away of acclaimed Goan Artist Ashalata Wabgaonkar. Her splendid performances in theatre & films will keep inspiring the generations to come. My condolences to her family & fans. May her soul rest in peace. pic.twitter.com/HVGOnDUA8x
— Digambar Kamat (@digambarkamat) September 22, 2020
થોડાક દિવસ પહેલા જ આ સિરિયલની શૂટિંગ માટે એક ટીમ સતારા ગઈ હતી, તે વખતે બધાનો કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હતો. જોકે સમય જતા કુલ 27 કલાકારો કોવિડ-19 પૉઝિટિવ થયા હતા. આટલા બધા લોકો કોવિડ-19 પૉઝિટિવ થતા સિરિયલનું શૂટિંગ પણ રોકવામાં આવ્યું હતું.