Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

22 December, 2019 11:11 AM IST | Mumbai

મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ


દેશમાં નાગરિકતા કાયદાને લઈને ઉઠેલા તોફાનને જોતાં ફિલ્મ-મેકર વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ એ ભારત નથી રહ્યું જેમાં તેમનો ઉછેર થયો હતો. સરકારે પાસ કરેલા બિલની વિરોધમાં લોકો રસ્તા પર ઉતરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ બિલનો વિરોધ કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘દેશમાં હાલમાં ખરાબ સ્થિતિ ઉભી થઈ છે કારણ કે લોકોને ધર્મનાં આધારે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. આ એ ભારત દેશ નથી રહ્યો જેમાં મારો ઉછેર થયો હતો.’

આ પણ વાંચો : દેશમાં ફરી એક વખત ઇમર્જન્સી આવી ગઈ છે : અનુરાગ કશ્યપ



દેશની સ્થિતિને જોતાં સરકારે કલમ ૧૪૪ લાગુ કરી છે. એ મુજબ લોકોને આ બિલની વિરોધમાં કે એનાં પક્ષમાં ટોળું થવાની મનાઇ ફરમાવવામાં આવી છે. એને જોતા ટ્‍‍વિટર પર વિશાલ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે ‘આ ખૂબ જ હંસીને પાત્ર સ્થિતિ છે. કોને ખબર હતી કે આવુ પણ થવાનું હશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 11:11 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK