Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી

ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી

02 November, 2019 05:29 PM IST | મુંબઈ ડેસ્ક
સોનિલ દેઢિયા

ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી

ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી


મુંબઈ : નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે ‘ઠાકરે’ની સીક્વલની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીને શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના પાત્રને પડદા પર સાકાર કર્યું હતું. આ ફિલ્મને સંજય રાઉતે પ્રોડ્યુસ કરી હતી. એવી અફવા ઊડી હતી કે આ ફિલ્મની સીક્વલ નહીં બને. એવામાં આ અફવા પર વિરામ મૂકતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘પહેલેથી જ આ ફિલ્મને બે ભાગમાં બનાવવાની યોજના હતી. એવામાં આ વિચારને પડતો મૂકવાનો સવાલ જ નથી ઊઠતો. આ ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. એના બીજા પાર્ટની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. થોડા મહિના પહેલાં મેં સંજય રાઉત સાથે આ વિષયમાં ચર્ચા કરી હતી. તેમણે મને ખાતરી આપી હતી કે આ ફિલ્મનો બીજો ભાગ નક્કી બનાવવામાં આવશે. મેકર્સ ઇલેક્શનમાં વ્યસ્ત હતા અને હું મારા અન્ય પ્રોજેક્ટમાં બિઝી હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ કરીએ એ પહેલાં આ ફિલ્મના કૅરૅક્ટરને ભજવવા માટે મારે ફરીથી એ પાત્રમાં ઢળવું પડશે. એમાં થોડો સમય પણ લાગશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 05:29 PM IST | મુંબઈ ડેસ્ક | સોનિલ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK