Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં BAFTA બૉલીવુડથી પરે જઈને કામ કરશે : એ. આર. રહમાન

ભારતમાં BAFTA બૉલીવુડથી પરે જઈને કામ કરશે : એ. આર. રહમાન

02 January, 2021 02:00 PM IST | Mumbai
Agency

ભારતમાં BAFTA બૉલીવુડથી પરે જઈને કામ કરશે : એ. આર. રહમાન

એ. આર. રહમાન

એ. આર. રહમાન


એ. આર. રહમાનનું કહેવું છે કે BAFTA એટલે કે બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ભારતમાં જે પહેલ શરૂ કરશે એ બૉલીવુડથી પરે જઈને કામ કરશે. આ પહેલથી ભારતના કલાકારોની ટૅલન્ટને વિશ્વસ્તરે ઓળખ મળવાની છે. એ કામગીરી માટે એ. આર. રહમાનને ઍમ્બૅસૅડર નીમવામાં આવ્યો છે. BAFTAની પ્રશંસા કરતાં એ. આર. રહમાને કહ્યું હતું કે ‘BAFTAએ ભારતમાં કામ કરવા માટે જે યોજના ઘડી છે એ બૉલીવુડથી પરે છે. BAFTA અને હું નવી ટૅલન્ટને શોધી કાઢવા અને તેમને એક મંચ આપવા માટે કામ કરીશું. તેમની સાથેનું મારું આ અસોસિએશન અમારા વિઝનને કારણે કુદરતી રીતે બંધ બેસે છે. ઇન્ડિયન સિનેમાનો વિવિધતાસભર વારસો એની સુંદરતાને દેખાડે છે. આ પહેલથી ઇન્ડિયન ફિલ્મ્સ ગેમ્સ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ખૂણે-ખૂણેથી ટૅલન્ટને ખોજી લાવશે, જેને વિશ્વ સમક્ષ દેખાડવામાં આવશે. BAFTA ઇન્ડિયન ટૅલન્ટને વૈશ્વિક મંચ પર લાવવા માટે સક્ષમ બનાવશે. સાથે જ એ ઊભરતી પ્રતિભાઓને નેટવર્કિંગની તક આપશે, જેથી એ આ ઇન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ કામ કરી શકે. હું દેશભરમાંથી હીરાને શોધી લાવવા માટે તત્પર છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2021 02:00 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK