ઇન્શાહઅલ્લાહ અને અલી અબ્બાસ ઝફરની ફિલ્મને અફવા ગણાવી શાહરુખે
શાહરુખ ખાને તેની ‘ઝીરો’ બાદ એક પણ ફિલ્મની જાહેરાત નથી કરી અને તેણે અન્ય ફિલ્મની વાતોને એક અફવા ગણાવી છે. તેણે સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાહઅલ્લાહ’માં સલમાન ખાનની જગ્યા લીધી હોવાની ચર્ચા છે અને તે હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં પણ કામ કરશે એવી ચર્ચાએ વેગ પકડ્યું છે.
આ પણ વાંચો: ઇમરાન ખાન અને અવંતિકા મલિક લઈ રહ્યાં છે ડિવૉર્સ?
ADVERTISEMENT
આ તમામ અફવાનો અંત આણતાં શાહરુખ ખાને ટ્વીટ કર્યું હતું કે ‘એ જાણીને હંમેશાં ખુશી થાય છે કે મારી ગેરહાજરીમાં અને મારી જાણ બહાર મેં ઘણી બધી ફિલ્મોને સાઇન કરી છે. હું તમને તમામને જણાવી દેવા માગુ છું કે હું જ્યારે કહીશ કે હું ફિલ્મ કરી રહ્યો છું ત્યારે જ હું એ કરીશ ત્યાં સુધી એ વિશે કંઈ માનવું નહીં.’