Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાચી વ્યક્તિ બનવાનો મારો પ્રયાસ રહેશે : સારા અલી ખાન

સાચી વ્યક્તિ બનવાનો મારો પ્રયાસ રહેશે : સારા અલી ખાન

17 December, 2018 10:53 AM IST |

સાચી વ્યક્તિ બનવાનો મારો પ્રયાસ રહેશે : સારા અલી ખાન

સારા અલી ખાન

સારા અલી ખાન


‘કેદારનાથ’માં પોતાના અભિનયની પ્રશંસા મેળવનાર સારા અલી ખાનનું કહેવું છે કે તે જીવનમાં હંમેશાં સાચી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરશે. સારાએ સાથે જ જણાવ્યું હતું કે તે ભલે ઍક્ટિંગના પ્રોફેશનમાં હોય, પરંતુ તેનો ઉદ્દેશ છે કે તે જેવી છે એવી જ લોકો સામે રહે. કોઈ પણ પ્રકારના દંભ કે દેખાવમાં તે નથી માનતી. આ વિશે સારાએ કહ્યું હતું કે ‘લોકો પ્રશંસા કરે છે કે હું સાચી વ્યક્તિ છું. મારો પ્રયાસ પણ એ જ છે કે હું સાચી વ્યક્તિ બનું. હું વધારે નથી વિચારતી અને જેવી છું એવી જ બની રહેવાનો પ્રયાસ કરું છું. હું ભૂલો પણ કરું છું. એથી જ એક જ સમયે તમારે પ્રશંસા અને નિંદાનો સામનો કરવાનો હોય છે, જેનો સ્વીકાર કરવો રહ્યો.’

અભિનય વગર જીવન અધૂરું છે એવું માનવું છે સારા અલી ખાનનું



સારા અલી ખાને જણાવ્યું હતું કે અભિનય વગર તેનું જીવન અધૂરું છે. તે ઍક્ટિંગને ખૂબ પ્રેમ કરે છે. સારાની ‘સિમ્બા’ રિલીઝના આરે છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે જોવા મળવાની છે. ફિલ્મોને લઈને સારાએ કહ્યું હતું કે ‘હું એ જોઉં છું કે મને કેવી ઑફર્સ મળે છે અને જે મને ઉત્સાહિત કરી દેશે એવી ફિલ્મોની હું પસંદગી કરીશ. એક કલાકાર તરીકે હું અલગ-અલગ ફિલ્મો કરવા માગું છું. હું હંમેશાંથી ઍક્ટિંગને પ્રેમ કરું છું. ફિલ્મના સેટ પર જવા માટે હું હંમેશાં ઉત્સાહિત હોઉં છું. ફિલ્મ કે અભિનય વગર મારું જીવન અધૂરું છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2018 10:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK