Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Nach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ

Nach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ

18 July, 2019 10:46 AM IST | મુંબઈ

Nach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ

Nach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ


મહારાષ્ટ્રના દિગ્ગજ દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન ફરી સમાચારોમાં ચમક્યા છે. આ વખતે કારણ છે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે. ડાન્સ રિયાલિટી શો નચ બલિયેનો પ્રીમિર 19 જુલાઈએ થવાનો છે. તે પહેલા શોને લઈ જાતભાજની ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ શોમાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ કોમ્પિટિશન આપતા દેખાશે. આ શોની ખાસ વાત એ છે કે તેમાં કેટલાક નવા કપલની સાથે સાથે આ જ શોમાં ભાગ લઈ ચૂકેલા એક્સ કપલ્સ પણ પર્ફોમ કરશે. ઉલ્લેખનીય છે કે આ જ શોમાં વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલીનો ઝઘડો જગજાહેર છે, તો ઉર્વશી ધોળકિયા અને અનુજ સચદેવાની કોલ્ડ વોર વિશે પણ બધાને ખ્યાલ જ છે. ત્યારે અંદાજ એવો પણ છે કે આ વખતે આ ડાન્સ રિયાલિટી શો મનોરંજનની સાથે સાથે વિવાદો પણ આપી શકે છે.

 
 
 
View this post on Instagram

Here's a glimpse of what's coming your way....???? Can you #GuessTheJodis? #NachBaliye9, This Friday at 8pm only on StarPlus and Hotstar

A post shared by StarPlus (@starplus) onJul 16, 2019 at 2:49am PDT




ઉલ્લેખનીય છે કે નચ બલિયે 9નાના ગ્રાન્ડ પ્રીમિયનને વધુ એન્ટરટેઈનિંગ બનાવવા માટે ટીવીના જાણીતા ચહેરા ગેસ્ટ કપલ બનીને ચમકશે. ટીવી શો 'એક ભ્રમ... સર્વગુણ સંપન્ન'ની એક્ટ્રેસ શ્રેણુ પરીખ અને બિગબોસમાં દેકાઈ ચૂકેલા રાહુલ મહાજન પણ ગેસ્ટ તરીકે પ્રીમિયરના દિવસે દેખાશે. આ પ્રીમિયર એપિસોડમાં શ્રેણુ પરીખ અને રાહુલ મહાજન સેક્ન્ડ હેન્ડ જવાની ગીત પર ડાન્સ કરશે. જો કે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે રિહર્સલ દરમિયાન શ્રેણુ પરીખે રાહુલ મહાજનને લાફો મારી દીધો. કેટલાક દિવસો પહેલા જ બંને ડાન્સના રિહર્સલ માટે ભેગા થયા હતા. ત્યાં જ આ ઘટના બની.

Shrenu rahul


મળતી માહિતી પ્રમાણે રાહુલ મહાજન અને શ્રેણુ પરીખ ગીત સેક્ન્ડ હેન્ડ જવાનીનું રિહર્સલ કરી રહ્યા હતા. જેમાં કોમેડી એક્ટ માટે શ્રેણુ પરીખે રાહુલ મહાજનને લાફો મારવાનો હતો. પરંતુ શ્રેણુ આમ કરવાથી અચકાઈ રહી હતી. ત્યારે રાહુલ મહાજને શ્રેણુને કહ્યું કે તે બિન્દાસ લાફો મારી દે જેથી કૉમિક એક્ટને રિયાલિસ્ટિક ટચ આપી શકાય. અને શ્રેણુએ રાહુલની વાત માનતા બરાબર આવું જ કર્યું.

આ પણ વાંચોઃ Rajesh Khanna:જુઓ બોલીવુડના પહેલા સુપરસ્ટારના અનસીન-રૅર ફોટોઝ

આ મામલે શ્રેણુ પરીખે કહ્યું કે,'આ એક મસ્ત અને ફની એક્ટ હતું, જેમાં મજા પડી. રાહુલે મને કહ્યું, તુ લાફો મારી દે કોઈ પ્રોબ્લેમ નથી અને મેં મારી દીધો.' ઉલ્લેખનીય છે કે આ વખતે નચ બલિયે 9 સાથે સલમાન ખાન પણ જોડાયેલા છે. તે આ શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ શોમાં અનીતા હસનંદાની, શ્રદ્ધા આર્યા, મધુરિમા તુલી, ઉર્વશી ધોળકિયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 10:46 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK