Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુભવ સિંહા: 'પ્લીઝ, તેમના પર લાઠી ન વરસાવો'

અનુભવ સિંહા: 'પ્લીઝ, તેમના પર લાઠી ન વરસાવો'

16 April, 2020 05:10 PM IST | Mumbai
IANS

અનુભવ સિંહા: 'પ્લીઝ, તેમના પર લાઠી ન વરસાવો'

અનુભવ સિંહા

અનુભવ સિંહા


દેશમાં લૉકડાઉનને ૩ મે સુધી વધારવામાં આવતાં મોટી સંખ્યામાં મજદૂરો બાંદરા રેલવે-સ્ટેશને જમા થયા હતા. તેમને ઘણા સમજાવ્યા છતાં તેઓ ન સમજતાં પોલીસે આખરે તેમના પર લાઠીચાર્જ કરી તેમને ઘરે મોકલવા પર વિવશ કરવા પડ્યા હતા. દેશના વિવિધ ભાગોમાંથી મજૂરો મુંબઈ રોજગાર માટે આવે છે. જોકે લૉકડાઉનને કારણે તેઓ પોતાના વતન પાછા નથી જઈ શકતા. મંગળવારે તેઓ એ આશા લઈને જમા થયા હતા કે કદાચ તેમને પોતાના ઘરે જવા મળે. જોકે પોલીસને તેમને ત્યાંથી હટાવવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. એથી પોતાની લાગણી ટ્વિટર પર વ્યક્ત કરતાં અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ઉત્તર પ્રદેશની સીમા એવા બિહારનો છું. હું આ લોકોને સારી રીતે જાણું છું. તેમની સાથે જ હું મોટો થયો છું. તમને હું એક વાત કહેવા માગું છું કે આ લોકો જ્યારે રોષે ભરાય છે ત્યારે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. તેઓ ઘરે જવા માટે સેંકડો માઇલ્સ સુધી ચાલી શકે છે. વર્તમાનમાં તેમને ભોજનની ચિંતા નથી. તેમની સાથે વાત કરો. પ્લીઝ તેમના પર લાઠીઓ ન વરસાવો.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2020 05:10 PM IST | Mumbai | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK