COVID-19 સામે લડવા માટે કપિલ શર્માએ PM રિલીફ ફંડને આપ્યા 50 લાખ
કપિલ શર્મા
ભારત કોરોના વાયરસ કોવિડ-19 સામે એક નિર્ણાયક યુદ્ધ લડી રહ્યો ચે. દેશ હાલ 21 દિવસ માટે લૉકડાઉનમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ મહામારીને નિયંત્રિત કરવા માટે પ્રયત્ન કરી રહી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે ઘરમાંથી બહાર ન નીકળવું. આ મુશ્કેલ સમયમાં કેટલાક સેલિબ્રિટીઝ નાયક બનીને આવ્યા અને રાજ્ય સરકારને ડોનેશન આપીને લોકોની મદદ કરી રહ્યા છે.
કપિલ શર્માએ આ આપત્તિ સામે લડવા માટે પીએમ રિલીફ ફંડને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે.
ADVERTISEMENT
તેલુગુ સુપરસ્ટાર રામ ચરણે કેન્દ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સરકારોને 70 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. તેમણે જણાવ્યું કે આ રકમ તેમણે પવન કલ્યાણથી પ્રેરિત થઈને આપી છે. રામ ચરણે લખ્યું કે આપણી સરકાર જે કરી રહી છે, તેનાથી પ્રભાવિત થઈને હું કંઇક પ્રયત્ન કરવા માગતો હતો. આશા છે કે તમે બધાં ઘરે સુરક્ષિત હશો. રામ ચરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારોના પ્રયત્નના વખાણ પણ કર્યા છે.
Hope this tweet finds you in good health. At this hour of crisis, inspired by @PawanKalyan garu, I want to do my bit by contributing to aid the laudable efforts of our governments...
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2020
Hope you all are staying safe at home! @TelanganaCMO @AndhraPradeshCM @PMOIndia @KTRTRS pic.twitter.com/Axnx79gTnI
આ પહેલા તેલુગુ સ્ટાર અને નેતા પવન કલ્યાણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે પીએમ મોદીને સપોર્ટ કરવા માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં એક કરોડનું દાન આપી રહ્યા છે. તેમણે આશા દર્શાવી કે વડાપ્રધાનના પ્રેરણાદાયક નેતૃત્વમાં કોરોના મહામારીમાંથી બચી જવાશે. પવને આંધ્ર પ્રદેશ અને તેલંગણાના સીએમ રિલીફ ફંડને પણ 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે, જેથી કોરોના સામે લડવામાં ઝડપ થાય.
I will be donating Rs.1 crore to PM relief fund to support our https://t.co/83OmZ9biYX Sri @narendramodi ji,in turbulent times like this. His exemplary and inspiring leadership would truly bring our country from this Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એવા લોકોની મદદની જાહેરાત કરી ચૂક્યા છે જે દરરોજ કમાણી કરે છે. પ્રકાશ રાજે પોતાના સ્ટાફને પણ આગામી મહિનાનું વેતન એડવાન્સમાં આપીને રજા આપી દીધી છે.
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020