સાહિર લુધિયાણવીની બાયોપિક હું જ લખી શકું છું : જાવેદ અખ્તર
જાવેદ અખ્તર
જાવેદ અખ્તરનું માનવું છે કે તેમના સિવાય સાહિર લુધિયાણવીની બાયોપિક લખવા માટે કોઈ સક્ષમ નથી. કવી અને ગીતકાર સાહિર લુધિયાણવી અને જાવેદ અખ્તર વચ્ચે ખૂબ જ સારા રિલેશન હતા. સાહિર લુધિયાણવી વિશેની બાયોપિક વિશે પૂછતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘સાહિર સાબ અને મારા સંબંધ ખૂબ જ ગાઢ હતા. હું તેમને ખૂબ જ મોટો પ્રશંસક છું. મેં તેમની સાથે ખૂબ જ સમય પસાર કર્યો છે.
આ પણ વાંચો : મસાનએ લાઇફનો પાઠ શીખવ્યો છે : વિકી કૌશલ
ADVERTISEMENT
સાહિર લુધિયાણવી પર જો કોઈ ફિલ્મ લખી શકતું હોય તો એ એકમાત્ર હું છું. મેં તેમની સાથે ઘણો સમય પસાર કર્યો હોવાથી તેમને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તેમને મારા કરતાં કોઈ પણ સારી રીતે નથી ઓળખતું.’