ફિલ્મ 'જલસાઘર'માટે એક પણ કલાકારે નથી લીધું પેમેન્ટ, આજે રિલીઝ થઈ ફિલ્મ
હિતેનકુમારની નવી ગુજરાતી ફિલ્મ 'જલસાઘર' આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાથે હિતેનકુમાર લગભગ એક વર્ષ બાદ ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે. હિતેન કુમાર છેલ્લા એક વર્ષથી તેમના ગુજરાતી નાટક 'પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર'ના શોઝમાં વ્યસ્ત હતા. જો કે હવે તે ફરીવાર ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે.
હિતેન કુમાર ફિલ્મ વિશે વાત કરતા કહે છે કે,'જલસાઘર એક સુંદર કન્સેપ્ટ છે. માણસ જ્યારે 45-50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે ઘરમાં તેની સાથેનું લોકોનું વર્તન બદલાય છે. પરિણામે વ્યક્તિમાં નિરાશા જન્મે છે. અને વૃદ્ધત્વની શરૂઆત સાથે જ આ ઉંમરે પરિવારના સભ્યો ભજન-ભક્તિ તરફ વળતા હોય છે. પરંતુ આ ઉંમર સુધી મહેનત કર્યા પછી હવે આ સમયગાળો છે, જાત માટે જીતી લેવાનો. જલસાઘર આ જ મેસજ આપતી ફિલ્મ છે.'
ADVERTISEMENT
જલસાઘર ફિલ્મનો કન્સેપ્ટ તેના નામમાં છે. જેમાં એક પ્રેમમાં નિષ્ફળ કવિ, એક નિવૃત્ત કર્નલ, મહેસાણાના વરિષ્ઠ વ્યક્તિ અને એક જમાનાના જાણીતા બિઝનેસમેનની વાત છે. પોતપોતાની મુશ્કેલીથી કંટાળેલા આ તમામ વ્યક્તિઓ એક ઘરમાં રહે છે. જેની સંભાળ અમિત નામનો મહત્વકાંક્ષી યુવાન લે છે. સમયાંતરે આ જલસાઘરમાં સ્મિતા એટલે કે યામિની જોશીની પણ એન્ટ્રી થાય છે. અને પછી કેવા જલસાથી આ તમામ લોકો જલસાઘરમાં જીવે છે, પોતાની મુશ્કેલીઓ સામે લડે છે, તેની વાત ફિલ્મમાં કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ
તો ફિલ્મના ડિરેક્ટર પ્રોડ્યુસર અતુલ પટેલનું કહેવું છે કે,'આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મ માટે કલાકારોથી લઈ ક્રૂ સુધી કોઈ પણ વ્યક્તિએ પેમેન્ટ નથી લીધું. અત્યાર સુધી કોઈ ફી નથી માગી. હવે ફિલ્મ જે કમાણી કરશે તેમાંથી પર્સન્ટેજ વાઈઝ વહેંચણી કરીશું. ' તો ફિલ્મની સ્ટોરી વિશે અતુલ પટેલે કહ્યું,'ફિલ્મ છ વૃદ્ધોની વાત છે. એક બંગ્લામાં રહેતા છ વૃદ્ધો વૃદ્ધાવસ્થાને કેવી એન્જોય કરે છે, તેના પર ફિલ્મની સ્ટોરી છે.'