Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરબાઝને કેમ સલમાન ખાન પર આવ્યો ગુસ્સો?

અરબાઝને કેમ સલમાન ખાન પર આવ્યો ગુસ્સો?

24 May, 2017 05:04 AM IST |

અરબાઝને કેમ સલમાન ખાન પર આવ્યો ગુસ્સો?

અરબાઝને કેમ સલમાન ખાન પર આવ્યો ગુસ્સો?


arbaaz

સલમાને ૨૦૦૮માં આવેલી ‘વૉન્ટેડ’ની સીક્વલની જાહેરાત કરવા પ્રભુ દેવાને જણાવી દીધું હોવાની ચર્ચા છે. આ વાતથી અરબાઝ ખૂબ જ ગુસ્સે થયો છે. અરબાઝ તેની ‘દબંગ ૩’ માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છે, પરંતુ સલમાન ‘વૉન્ટેડ ૨’ માટે તૈયારી કરી રહ્યો છે. જોકે આ વિશે એવી વાતો ચાલી રહી છે કે બોની કપૂરને ખુશ કરવા માટે સલમાન પહેલાં ‘વૉન્ટેડ’ની સીક્વલ કરવા માગે છે. બોની કપૂરની ૨૦૦૫માં આવેલી ‘નો એન્ટ્રી’ની સીક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ માટે સલમાને પહેલાં હા પાડી હતી, પરંતુ હવે તેને આ ફિલ્મમાં રસ નથી રહ્યો. સલમાન અને બોની કપૂર ખૂબ જ સારા મિત્રો છે અને બોની કપૂરને ખોટું ન લાગે એ માટે સલમાન પહેલાં ‘વૉન્ટેડ ૨’ કરવા માગે છે. સલમાનના આ નિર્ણયથી અરબાઝને ગુસ્સો આવ્યો છે, કારણ કે તેણે વધુ એક વર્ષ માટે રાહ જોવી પડે એમ છે.

સલમાન ખાન અને કૅટરિના કૈફ હાલમાં અબુ ધાબીમાં તેમની આગામી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’નું શૂટિંગ કરી રહ્યાં છે. જોકે સલમાન ગરમીમાં શૂટિંગ કરી રહ્યો છે, જ્યારે કૅટરિના તેના મિત્રો સાથે ફરતી જોવા મળી રહી છે. આ ફિલ્મને ‘સુલતાન’નો ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યો છે. અલીએ સલમાનનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે રણ, સૂર્યાસ્ત અને ટાઇગર.

સલમાન જ્યારે શૂટિંગ કરી રહ્યો છે ત્યારે કૅટરિના અબુ ધાબીની મુલાકાત લઈ રહી છે. કૅટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે સલમાનની બહેન અલ્વિરા અગ્નિહોત્રી અને ફિટનેસ ગુરુ યાસ્મિન કરાચીવાલા સાથે જોવા મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2017 05:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK