પાની બનાવવામાં આવશે તો એને સુશાંતને સમર્પિત કરવામાં આવશે:શેખર કપૂર
શેખર કપૂર
શેખર કપૂરે જણાવ્યું છે કે જો ક્યારેક ‘પાની’ બનાવવામાં આવશે તો એ સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવશે. આ ફિલ્મ સુશાંત સાથે સાઇન કરવામાં આવી હતી. એને યશરાજ ફિલ્મ્સ સાથે મળીને શેખર કપૂર બનાવવાના હતા. ‘પાની’ વિશે ટ્વિટર પર શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘જો તમે ભગવાન અથવા તો ક્રીએટિવિટી સાથે તમારી જર્ની આગળ વધારવા માગો છો તો તમારે દરેક પગલું ભક્તિભાવથી ભરવું પડશે. વિનમ્રતાથી. જો ભગવાનની કૃપા રહી અને ‘પાની’ જો એક દિવસ બનાવવામાં આવશે તો હું એને સુશાંતને સમર્પિત કરીશ. જોકે હું એને એવા પાર્ટનર્સ સાથે બનાવવા માગીશ જે માનવતાના માર્ગે ચાલે, ન કે અહંકારની રાહ પર.’