1971નાં શૂટિંગ દરમ્યાન હું બે વખત મરતા બચ્યો હતો : મનોજ બાજપાઈ
મનોજ બાજપાઇ
મનોજ બાજપાઈએ ‘1971’ના શૂટિંગના અનુભવોને યાદ કરતાં જણાવ્યું હતું કે બે વખત તે મરતાં-મરતાં બચ્યો હતો. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું શૂટિંગ મનાલીના કપરા વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર અમ્રિત સાગરની આ ફિલ્મમાં રવિ કિશન, પીયૂષ મિશ્રા, દીપક ડોબરિયાલ, માનવ કૌલ અને કુમુદ મિશ્રા પણ જોવા મળ્યા હતા. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ બનાવતી વખતે કેટલીક યાદો એવી હોય છે જેને તમે ભુલાવી નથી શકતા. ‘1971’ પણ એવી જ ફિલ્મ છે. એને બે નૅશનલ અવૉર્ડ્સ મળ્યા હતા. મનાલીની અતિશય ઠંડીમાં શૂટ કરવામાં આવેલી દરેક ક્ષણને હું ચાહુ છું. એ વખતે લગભગ બે વખત મારો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ફિલ્મના શૂટિંગના એ ૬૦ દિવસ કદી ભૂલી નહીં શકું. ફિલ્મની સ્ટોરી પીયૂષ મિશ્રાએ લખી અને અમ્રિત સાગરે ડિરેક્ટ કરી હતી. માનવ કૌલ અને દીપક ડોબરિયાલે આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.’