મને ઍક્ટિંગથી ખરેખર નફરત છેઃ અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપને ઍક્ટિંગથી ખરેખર નફરત છે. તે ‘ઘૂમકેતુ’માં જોવા મળી રહ્યો છે. અનુરાગ કશ્યપ અને વિકાસ બહલે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સોનાક્ષી સિંહા અને રણવીર સિંહ નાનકડી ભૂમિકામાં જોવા મળવાનાં છે. ઍક્ટિંગ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘મારી પાસે કોઈ પર્યાય નહોતો. મને ખરેખર ઍક્ટિંગથી નફરત છે. જોકે એ ઇમોશનલ બ્લૅકમેલ જેવું છે. સાથે જ નવાઝ સાથે સ્ક્રીન શૅર કરવી અને પુષ્પેન્દ્રનાથ મિશ્રાનું નરેશન સાંભળવાની મારી ઇચ્છા હતી. રઘુબીર યાદવ, ઇલા અરુણ અને સ્વાનંદ કિરકિરે સાથે સ્ક્રીન શૅર કરવી એ પણ મારા માટે ખાસ બાબત છે.’