મધુબાલાની બાયોપિકમાં કામ કરવાનું ગમશે : ક્રિતી સૅનન
તેણે જણાવ્યું હતું કે ‘મને મધુબાલાના જીવન પરથી બનનારી ફિલ્મમાં કામ કરવાનું ગમશે. તેઓ ખૂબ સુંદર હતાં. હું ખરેખર તેમની ચાહક છું. તેઓ એવી વ્યક્તિ છે જેઓ આજે પણ આપણા દિલમાં જીવી રહ્યાં છે અને લોકો હજી પણ તેમને યાદ કરે છે. મને લાગે છે કે તેમનું જીવન એવું હતું જે લોકોને જણાવવા લાયક છે. મને નથી લાગતું કે ઘણા લોકોને તેમના જીવન વિશે ખબર હોય. એવા લોકોને આપણે તેમના વિશે કહી શકીએ છીએ.’મધુબાલા હિન્દી સિનેજગતની આઇકૉનિક અભિનેત્રીઓમાંની એક હતી. તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘બરસાત કી રાત’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૬૯માં તેમનું મૃત્યુ થયું હતું.