દિલજિત મને એટલી રિસ્પેક્ટ આપે છે તો મને પોતાને શરમ આવે છે : કરીના
કરીના અને દિલજિત
કરીના કપૂર ખાને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના શોમાં જણાવ્યું હતું કે દિલજિત દોસાંજ તેને એટલી તો રિસ્પેક્ટ આપે છે કે તે પોતે પણ ક્યારેક શરમાઈ જાય છે. દિલજિત દોસંજ હાલમાં જ ક્રિતી સૅનન સાથે ‘અર્જુન પટિયાલા’ના પ્રમોશન માટે ઝી ટીવી પર આવતા આ રિયિલટી શોમાં પહોંચ્યાં હતાં. કરીના આ શોમાં જજ છે. દિલજિત તરફથી કરીનાને જે પ્રકારે માન સન્માન મળે છે એને લઈને કરીનાએ કહ્યું હતું કે ‘હું કહેવા માગુ છું કે દિલજિત મારો સૌથી મોટો ફૅન છે. મને હંમેશાં સવાલ થાય છે કે અમે જ્યારે પણ સાથે કામ કરીએ છીએ અને શૂટિંગ કરીએ છીએ તો તે શું કામ મારી સાથે વાત નથી કરતો. ખરું કહું તો તે મને એટલી બધી રિસ્પેક્ટ આપે છે કે ઘણી વખત મને પણ થોડી શરમ આવે છે. મને તેનાં અને તેનાં કામ પ્રતિ ભરપૂર રિસ્પેક્ટ છે.’
આ પણ વાંચો : બિહાર બાદ હવે રાજસ્થાનમાં પણ સુપર 30 બની ટૅક્સ-ફ્રી
ADVERTISEMENT
કરીના સાથે તે કેમ વાત નથી કરતો એનો જવાબ આપતાં દિલજિતે કહ્યું હતું કે ‘હું તેમનો મોટો ફૅન છું અને જ્યારે ફૅન તેનાં આઇડોલને મળે તો તે હંમેશાં સ્પીચલેસ થઈ જાય છે.’