ગુજરાતી નાટકનો શુભારંભ પાંચમી નવેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકથી થશે
સિદ્ધાર્થ રાંદેરિયા
કોવિડ પછી નાટકો બંધ થઈ ગયાં, પણ હવે એ ફરીથી શરૂ થવાની આશા નવેસરથી બળવત્તર બની છે. ૧૧ માર્ચથી બંધ થયેલાં ગુજરાતી નાટકો પછી હવે પહેલો શો પાંચમી નવેમ્બરે ઉત્તરાખંડના મસૂરીમાં થશે અને સિદ્ધાર્થ રાંદેરિયા ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’નો પ્રાઇવેટ શો કરશે.
મસૂરીનો આ શો પ્રાઇવેટ શો છે અને લિમિટેડ લોકોને જ એમાં પ્રવેશ મળવાનો છે. નાટકમાં કુલ ૧૧ કલાકારો છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘કોઈને ઓછા કરવાનો પ્રશ્ન જ નથી, ઊલટું જો ઍક્ટર વધારી શકાતા હોય તો હું એનો પ્રયાસ કરીશ. લાંબા સમયથી બધા ઘરે બેઠા છે અને થિયેટર નૉર્મલ મોડમાં ક્યારે આવશે એ હજી અચોક્કસ છે ત્યારે સ્વાભાવિક રીતે વધુમાં વધુ લોકોને કામ મળે એ જોવાનું હોય.’
‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ નાટકના લીડ રોલમાં સિદ્ધાર્થ રાંદેરિયા છે તો નાટકનું ડિરેક્શન પણ તેમનું જ છે. આ નાટકના અગાઉ ૭૦૦થી વધારે શો થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
એક્ઝૅક્ટ ૨૩૯ દિવસ પછી ફરીથી નાટક કરવા મળશે જેની નૅચરલી ખુશી છે અને સાથે ઉત્સાહ પણ છે કે હવે ફરીથી સ્ટેજ પર જવા મળશે.
- સિદ્ધાર્થ રાંદેરિયા