Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉમ ક્રુઝને નચાવવા માગે છે ફારાહ ખાન

ટૉમ ક્રુઝને નચાવવા માગે છે ફારાહ ખાન

29 November, 2019 10:32 AM IST | Mumbai

ટૉમ ક્રુઝને નચાવવા માગે છે ફારાહ ખાન

ફારાહ ખાન

ફારાહ ખાન


ફારાહ ખાનની ઇચ્છા છે કે તે ટૉમ ક્રુઝને નચાવે. ગોવામાં આયોજિત ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ વિશે ફારાહે કહ્યું હતું કે ‘હું ચોક્કસ ટૉમ ક્રુઝને નચાવવા માગું છું. એ મારુ સપનું છે.’
એક કૉરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકેની પોતાની જર્ની વિશે ફારાહે ઘણી વાતો કરી હતી. સાથે જ ‘ઓમ શાંતિ ઓમ’નાં ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં તેણે ઘણાં બધા કલાકારોને આવરી લીધા હતાં. જોકે તેને દિલીપ કુમારને પણ આ ગીતમાં લેવાની ઇચ્છા હતી. શાહરુખ ખાને એનાં માટે ખાસ્સી મદદ પણ કરવાનો હતો. જોકે એ શક્ય નહોતું બન્યું. એ ગીતમાં આમિરને લેવાની વાત કરતાં ફારાહે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા આમિર ખાનને પણ લેવાની હતી. મારી ઇચ્છા હતી કે એક જ શોટમાં હું ત્રણેય ખાનને દેખાડું. આમિરે તો મને દસ દિવસ સુધી પાગલ કરી નાખી હતી. તે આ ગીતમાં પર્ફોર્મ કરી શક્યો નહીં, કારણ કે તે ‘તારે ઝમીં પર’ની એડિટિંગમાં બિઝી હતો.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 10:32 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK