અંકિતા સાથે બ્રેકઅપ બાદ સુશાંતને થયો પસ્તાવો,ડૉક્ટરે કર્યો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી, પોલીસ આ વાતની તપાસ કરી રહી છે. સુશાંતના મિત્રોએ જણાવ્યું કે તે ડિપ્રેશનમાં હતો. જો કે, તેને કઈ વાતની મુંઝવણ હતી તે બાબત વિશે માહિતી નથી. આ કેસની તપાસમાં પોલીસે સુશાંતના ડૉક્ટર કેરસીનું પણ નિવેદન નોંધી લીધું છે. તેમણે પોલીસને સુશાંતના રિલેશનશિપ્સ લાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો જણાવી છે.
અંકિતા સાથે બ્રેકઅપ બાદ થોડાંક જ દિવસ સ્વસ્થ રહ્યો સુશાંત
બ્રેકિંગ બૂમની રિપોર્ટ પ્રમાણે, સુશાંતના સાઇક્રિયાટિસ્ટે પોલીસને જણાવ્યું કે સુશાંતે તેનો સંપર્ક 6 મહિના પહેલા કર્યો હતો. સુશાંતે તેમને જણાવ્યું હતું કે તે છેલ્લા 1 વર્ષથી ડિપ્રેશનમાં હતો. તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ બાદ થોડાંક દિવસ સુધી તો બધું બરાબર હતું. પછી તેના જીવનમાં ક્રિતી સેનન આવી પણ રિલેશનશિપ વધારે ટકી નહીં.
ADVERTISEMENT
સુસાઇડના એક દિવસ પહેલા રેહાએ ન ઉપાડ્યો ફોન
સુશાંતના મૃત્યુ બાદ ચર્ચામાં એ વાત પણ સામે આવી છે કે રેહા તેની સાથે રહેતી હતી. તે થોડાંક દિવસ પહેલા જ તેના અપાર્ટમેન્ટમાંથી ગઈ હતી. સાથે જ રવિવારે સુસાઇડના એક દિવસ પહેલા એટલે કે શનિવારે સુશાંતે તેને ફોન કર્યો હતો પણ રેહાએ ન ઉપાડ્યો. સુશાંતે ડૉક્ટરને જણાવ્યું હતું કે તે અંકિતા સાથે ખૂબ જ જોડાયેલો હતો અને ત્યાર બાદ તેના જીવનમાં એવી કોઇપણ છોકરી નહોતી આવી જે અંકિતાની જેમ તેને પ્રેમ આપી શકે.
અંકિતા સાથે બ્રેકઅપનો પસ્તાવો
ડૉક્ટરે પોલીસને જણાવ્યું કે સુશાંતને અંકિતાની ઓછપ વર્તાતી હતી અને તેને યાદ કરતો હતો. તેને અહેસાસ થઈ ગયો હતો કે અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ કરીને તેણે ભૂલ કરી દીધી છે. ડૉક્ટરે હજી એક વાત એ પણ જણાવી કે તે કોઇક એક જ વસ્તુને લઈને અનેક ડાયરેક્શન્સ વિચારતો હતો. ડૉક્ટર પ્રમાણે તેનું મગજ બાઇપોલર હતું. સુશાંત રિલેશનથી વધારે ખુશ નહોતો. તેની ડૉક્ટર સાથેની અપૉઇન્ટમેન્ટ પણ લૉકડાઉનને કારણે પૂરી થઈ શકી નહોતી.