મલાઇકા સાથેના ડિવૉર્સ જરૂરી હતા : અરબાઝ ખાન
અરબાઝ ખાનનું કહેવું છે કે તેનાં અને મલાઇકા અરોરાનાં જ્યારે છૂટાછેડા થયાં હતાં ત્યારે તેમનો દીકરો અરહાન સ્થિતિને સમજવાની પૂરી સમજણ ધરાવતો હતો. અરબાઝ અને મલાઇકાએ ૧૯ વર્ષનાં લગ્ન જીવન પર ૨૦૧૭માં પૂર્ણવિરામ લગાવ્યુ હતું. તેમનાં ડિવૉર્સે તેમનાં ફૅન્સને એક પ્રકારનો આંચકો જ આપ્યો હતો. હાલમાં આ બન્ને પોતાની પર્સનલ લાઇફમાં ખુશ છે. અરબાઝ ઇટલીની મોડલ જ્યૉર્જિયા ઍન્ડ્રિયાની સાથે રિલેશનમાં છે. બીજી તરફ મલાઇકા પણ અર્જુન કપૂર સાથે ખુશ છે. ડિવૉર્સ વિશે પૂછતાં અરબાઝે કહ્યું હતું કે ‘બાળક હોય ત્યારે આ સ્ટેપ ખૂબ જ મુશ્કલે હોય છે, પરંતુ અમારે એ લેવો જરૂરી બને છે. અમારા સંબંધ એ જગ્યાએ પહોંચી ગયા હતા જ્યાં ડિવૉર્સ લેવા જરૂરી હતા.’
અરહાનની કસ્ટડી મલાઇકાને મળી હતી અને આ બાબત અરબાઝે કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર કોર્ટનાં નિર્ણયને જ માન્ય રાખ્યો હતો. ડિવૉર્સનાં ન્યુઝ મળતાં તેમનાં દીકરા અરહાને આ બાબત પર કેવી પ્રતિક્રિયા આપી હતી એ વિશે પૂછવામાં આવતા અરબાઝ ખાને કહ્યું હતું કે ‘એ સમયમાં મારો દીકરો સ્થિતિને બરાબર સમજી શકતો હતો. તે બધુ જ જાણતો હતો. અમારે તેને વિસ્તારપૂર્વક સમજાવવાની જરૂર નહોતી પડી. હવે તે ૧૭ વર્ષનો છે. આવતા વર્ષે તે ૧૮ વર્ષનો થવાનો છે. તે પોતે જ નક્કી કરશે કે તેને ક્યાં રહેવુ છે. તે ખૂબ જ પ્રેમાળ દીકરો છે.’