Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પેશવા બાજીરાવના વંશજોએ મોકલી પાનીપતના મેકર્સને નોટિસ

પેશવા બાજીરાવના વંશજોએ મોકલી પાનીપતના મેકર્સને નોટિસ

30 November, 2019 11:11 AM IST | Mumbai

પેશવા બાજીરાવના વંશજોએ મોકલી પાનીપતના મેકર્સને નોટિસ

પાનીપત ફિલ્મનું પોસ્ટર

પાનીપત ફિલ્મનું પોસ્ટર


પેશવા બાજીરાવનાં વંશજોએ ‘પાનીપત’નાં મેકર્સને નોટિસ મોકલી છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ દ્વારા મરાઠા જનરલ અને તેમના બીજા પત્ની મસ્તાનીની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એથી તેમણે હવે કોર્ટમાં જવાનું પણ નક્કી કરી લીધુ છે. પેશવા બાજીરાવની આઠમી પેઢીનાં નવાબઝાદા શાદાબ અલી બહાદુર ભોપાલમાં રહે છે. તેમણે આ ફિલ્મનાં પ્રોડ્યુસર સુનિતા ગોવારિકર અને રોહિત શેલાટકરની સાથે જ ફિલ્મનાં ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને પણ નોટિસ ફટકારી છે. જો આ ડાયલૉગ ન કાઢવામાં આવ્યો તો તેઓ કૉર્ટમાં જશે. આ ફિલ્મ પાનીપતનાં ત્રીજા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મનાં ટ્રેલરમાં પાર્વતિબાઈની ભૂમિકામાં જોવા મળતી ક્રિતી સૅનન કહી રહી છે કે ‘મૈંને સુના હૈ કી પેશવા જબ એકેલે મુહિમ પર જાતે હૈ તો એક મસ્તાની કે સાથ લૌટતે હૈ.’
પેશવા બાજીરાવનાં વંશજોનું માનવું છે કે આ ડાયલૉગ મસ્તાની સાહિબા અને પેશવા બાજીરાવને અપમાનિત કરે છે. ૬ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર અને ક્રિતી સૅનન અગત્યની ભૂમિકામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 11:11 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK