હું તમામ ડૉક્ટર્સ અને નર્સિસને સલામ કરું છું : માનુષી છિલ્લર
માનુષી છિલ્લર
માનુષી છિલ્લરનું કહેવું છે કે તે તમામ ડૉક્ટર્સ અને નર્સિસનો આભાર માને છે જેઓ આ સમયે લોકોની સેવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા માનુષી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ભલે ઍક્ટિંગમાં પોતાની કરીઅર બનાવી રહી હોય, પરંતુ તેના પેરન્ટ્સ ડૉક્ટર્સ છે. કોરોના વાઇરસને કારણે તેના પપ્પા ડૉક્ટર મિત્ર બાસુ છિલ્લર અને મમ્મી નીલમ છિલ્લર માટે ઘરથી કામ કરવાનો ઑપ્શન નથી. તેના પિતા મુંબઈમાં અને મમ્મી દિલ્હીમાં તેમની સેવા બજાવી રહ્યાં છે. આ વિશે માનુષીએ કહ્યું હતું કે ‘એક ડૉક્ટર પેરન્ટ્સની દીકરી હોવાથી હું એટલું કહું છું કે મને તેમના પર અને તેમની પૂરી ફ્રૅટર્નિટી પર ગર્વ છે. આ ક્રાઇસિસના સમયમાં તેમની લાઇફને પણ જોખમ હોવા છતાં તેઓ સતત કામ કરી રહ્યાં છે. આ સમયે કોરોના વાઇરસથી અસરગ્રસ્ત લોકોને ડાયરેક્ટ ટ્રીટ કરી રહેલાં ડૉક્ટર્સ અને નર્સને હું સૅલ્યુટ કરું છું. તેમનો આભાર માનવા માટે આપણી પાસે શબ્દ પૂરતા નથી. ડૉક્ટર્સ અને નર્સ વર્ષોથી આપણને પ્રોટેક્ટ કરે છે અને આપણી સારવાર કરતાં આવ્યાં છે અને આ સંકટના સમયમાં પણ તેઓ જ આપણે બચાવી શકે છે. દુનિયાભરની મેડિકલ ફ્રૅટર્નિટીનો તેમના ડેડિકેશન અને ડિવોશન માટે હું આભાર માનું છું. આખી દુનિયા તેમની આભારી છે.’