Coronavirus Effect: હવે જુઓ જૂની રામાયણ, DD નેશનલ પર શરૂ થશે આવતીકાલથી
અરુણ ગોવિલ અને દીપિકા ચિખલીયાની રામયણ જુઓ ફરીવાર
આમ જનતાની માગને ધ્યાનમાં રાખીને હવે દુરદર્શને રામાયણ દર્શાવવાનો નિર્ણય લીધો છે. આમ તો ઓટટી પ્લેટફોર્મ્સનાં સમયમાં એન્ટરટેઇનમેન્ટની જરાય ખોટ નથી છતાં પણ લોકોએ ૯૦નાં દાયકાની ધાર્મિક સિરીયલ રામાયણને યાદ કરી અને તેના રિ-રન દર્શાવવાની માંગ કરી હોવાથી સૂચનાપ્રસારણ મંત્રાલયે માયથોલૉજિકલ સિરીયલ રામાયણને ૨૮ માર્ચથી બતાડવાનો નિર્ણય લીધો છે. ભારતમાં Covid-19ને પગલે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોએ સોશ્યલ મીડિયા પર જૂની સિરીયલ્સની માંગ કરી અને કહ્યુ કે જૂના શોઝ ફરી દેખાડવા જોઇએ ત્યારે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે, “જાનતાની માગને અનુસરીને અમે રામયણનો રિ-ટેલિકાસ્ટ આવતીકાલથી શરૂ કરીશું, શનિવારે DD નેશનલ પર સવારે નવથી ૧૦ વાગ્યાની વચ્ચે પહેલો એપિસોડ અને પછી સાંજે ૯થી ૧૦ની વચ્ચે બીજો એપિસોડ દર્શાવાશે.”
Happy to announce that on public demand, we are starting retelecast of 'Ramayana' from tomorrow, Saturday March 28 in DD National, One episode in morning 9 am to 10 am, another in the evening 9 pm to 10 pm.@narendramodi
— Prakash Javadekar (@PrakashJavdekar) March 27, 2020
@PIBIndia@DDNational
ADVERTISEMENT
આ પહેલાં પ્રસાર ભારતીએ જાહેરાત કરી હતી કે તેઓ રામાયણ અને મહાભારતનાં જૂના શોઝને રિ-ટેલિકાસ્ટ કરવા માટેની તજવીજ કરી રહ્યા હતા અને તેના રાઇટ્સ મેળવવા પણ કામગીરી ચાલી રહી હતી. આ અંગે બુધવારે પ્રસાર ભારતીનાં સીઇઓ શશી શેખરે પણ બુધવારે ટ્વિટ કર્યું હતું. ભારત થંભી ગયો છે ત્યારે એક સમયે ખૂબ પૉપ્યુલર એવા શોઝની ડિમાન્ડ વધતા સરકારે આ નિર્ણય લીધો છે.