શું અભિનેત્રી શ્વેતા તિવારીને કોરોના થયો છે? જાણો શું છે હકીકત
શ્વેતા તિવારી
ફિલ્મ અને ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી વિશે ચર્ચા આવી રહી છે કે તે કોરોનો પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. અભિનેત્રી હાલમાં ટીવી સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તિવારીની તબિયત થોડા સમયથી ઠીક નહોતી. જે બાદ તેણે કોરોનાની તપાસ કરાવી. તેના બાદ એના કોઈ સમાચાર આવ્યા નથી. સાથે એવી અફવા પણ આવી રહી છે એનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.
શૉની વાત કરીએ તો 'મેરે ડેડ કી દુલ્હન'માં શ્વેતા તિવારી, ગુનીતનો રોલ ભજવી રહી છે, અને તાજેતરના એપિસોડમાં એની અને અંબર શર્મા (વરૂણ બડોલા)ના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. આ ટીવી શૉની વાર્તા એક દીકરીની છે, જે પોતાના પિતા માટે એક સારી છોકરી શોધે છે અને તેની સાથે લગ્ન કરાવે છે.
ADVERTISEMENT
મેરે ડેડ કી દુલ્હનમાં નિયા શર્મા (અંજલિ તત્રારી) તેના પિતા અંબર માટે એક કન્યા શોધી રહી છે, જે તેના પિતાને સંપૂર્ણ રીતે સમજી શકે છે અને તેની શોધ આખરે ગુનીત પર આવીને સમાપ્ત થઈ જાય છે. આ શૉમાં વરૂણ બડોલ, શ્વેતા તિવારી અને અંજલિ તત્રારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શૉનું નિર્માણ દીયા અનો ટોની સિંહે કર્યું છે. જણાવી દઈએ કે હાલમાં જ ત્રણેય કલાકાર ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર પણ શૉના વેડિંગ એપિસોડને પ્રમોટ કરવા પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા ટીવી કલાકાર કોરોના સંક્રમિત મળ્યા હતા. પાર્થ સમથાન, જેણે કસૌટી જિંદગી કી 2માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેનો લગભગ એક મહિના પહેલા કોરોના રિપોર્ટ પૉઝિટીવ મળ્યો હતો. જોકે પાર્થ કોરોના સામેની જંગ જીતી ગયો હતો. શ્રેણુ પરીખનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તાજેતરમાં હિમાની શિવપુરી, રાજેશ કુમાર, સારા ખાન, રાજેશ્વરી સચદેવ, સચિન ત્યાગી પણ કોરોના પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું.