કોરોના-નેગેટિવ થયા બાદ શૂટિંગ શરૂ કર્યું અર્જુને
કોરોના-નેગેટિવ થયા બાદ શૂટિંગ શરૂ કર્યું અર્જુને
કોવિડ-19માંથી રિકવર થયા બાદ અર્જુને તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. અર્જુન કપૂર કોરોના-પૉઝિટિવ થયો હોવાથી તે આઇસોલેશનમાં હતો અને રિકવર થયા બાદ તેણે ફરી કામ શરૂ કર્યું છે. તેણે ફરી કામ શરૂ કર્યું હોવાથી એના ફોટો પણ અર્જુને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘ફરી સેટ પર આવવાની મને ખુશી છે. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સેટ જ મારું ઘર છે. હું જ્યારે ઍક્ટર નહોતો ત્યારે પણ સેટ પર હતો અને લોકોને જોઈને ઇન્સ્પાયર થતો હતો. આ વર્ષે કોરોના વાઇરસને કારણે દરેક ઇન્ડસ્ટ્રી પર અસર પડી હતી અને હું વાઇરસને કારણે પણ મારી લડાઈ લડી રહ્યો હતો ત્યારે હું સેટને મિસ કરી રહ્યો હતો. જોકે હું હવે કોરોના-નેગેટિવ હોવાથી ફરી સેટ પર આવીને ખુશ છું.’
તેની ઘણી ફિલ્મો અને ઍડ્વર્ટાઇઝમેન્ટનું શૂટિંગ બાકી છે. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘મારું ઘણું શૂટિંગ કરવાનું બાકી છે અને હું એને ભરપૂર એનર્જી સાથે પૂરું કરવા માગું છું. આજે સેટ પર આવીને એક બાળક કૅન્ડી સ્ટોરમાં આવીને ખુશ થાય એ રીતે હું ખુશ થઈ રહ્યો છું. અદ્ભુત દિમાગ ધરાવતા લોકો સાથેની વાતચીતને મિસ કરી રહ્યો હતો અને મારી ઍક્ટિંગને વધુ સારી બનાવવા માટે પણ રાહ જોઈ રહ્યો હતો. આથી સેટ પર આવીને હું ખૂબ ખુશ છું.’