કેદારનાથનો ક્લાઇમૅક્સ જોઈને અમ્રિતા સિંહ રડી પડી હતી
માતા અમ્રિતા સંગ સારા
આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારી આવક રળી રહી છે. લોકોને પણ આ ફિલ્મ ખાસ્સી પસંદ પડી રહી છે. સારાને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મ જોયા બાદ તેની મમ્મીનું રીઍક્શન કેવું હતું. એ વિશે જવાબ આપતાં સારાએ કહ્યું હતું કે ‘મમ્મીએ ફિલ્મની સ્ટોરી તો પહેલેથી જ સાંભળી હતી.
કેટલીક ક્લિપ્સ પણ જોઈ હતી. આમ છતાં ફિલ્મ જોયા બાદ ક્લાઇમૅક્સ વખતે તે રડવા લાગી હતી. આ મારા માટે મોટી વસ્તુ છે.’