Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અલ્ટ બાલાજી બનાવી રહ્યું છે પિરિયડ ડ્રામા સિરીઝ ‘પૌરષપુર’

અલ્ટ બાલાજી બનાવી રહ્યું છે પિરિયડ ડ્રામા સિરીઝ ‘પૌરષપુર’

20 October, 2020 01:41 PM IST | Mumbai
Nirali Dave

અલ્ટ બાલાજી બનાવી રહ્યું છે પિરિયડ ડ્રામા સિરીઝ ‘પૌરષપુર’

મિલિંદ સોમણ, શિલ્પા શિંદે, શહીર શેખ

મિલિંદ સોમણ, શિલ્પા શિંદે, શહીર શેખ


અલ્ટ બાલાજીએ પોતાના સૌપ્રથમ પિરિયડ ડ્રામા શોની જાહેરાત કરી છે. ‘પૌરષપુર’ નામનો આ ફિક્શન શો ગ્રૅન્ડ લેવલે બની રહ્યો છે અને એની સ્ટોરીલાઇન જાણીતી અમેરિકન સિરીઝ ‘ગેમ ઑફ થ્રૉન્સ’ પર આધારિત છે એવું કહેવાય છે. ‘પૌરષપુર’માં રજવાડી કુટુંબો વચ્ચેની સત્તા માટેની લડાઈ દર્શાવાશે. આ શોનું મુખ્ય આકર્ષણ એની કાસ્ટ છે. મિલિંદ સોમણ, શિલ્પા શિંદે, શહીર શેખ, અન્નુ કપૂર, ફ્લોરા સૈની, અનંત જોશી વગેરે આ શો સાથે જોડાયાં છે. તો આગળ જતાં એની એકથી વધુ સીઝન અને નવા કલાકારો પણ જોવા મળશે. સચિન્દ્ર વત્સ આ શોના ડિરેક્ટર છે અને સચિન મોહિતે શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે. મુંબઈ બહાર શોનો ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે.

‘પૌરષપુર’નું શૂટિંગ ગયા અઠવાડિયે જ શરૂ થયું છે અને એ ફેબ્રુઆરી ૨૦૨૧માં અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અલ્ટ બાલાજીએ આ વર્ષની સૌથી મોટી ઍક્શન-થ્રિલર સિરીઝ ‘બૅન્ગ બૅન્ગ’ની જાહેરાત પણ કરી છે અને હવે આ લાર્જર-ધેન-લાઇફ પિરિયડ ડ્રામા શોની જાહેરાતે દર્શકોમાં ઉત્કંઠા પેદા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 01:41 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK