Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજયે તાન્હાજી જોવા બદલ આર્મી, નેવી અને ઍર ફોર્સના ચીફનો આભાર માન્યો

અજયે તાન્હાજી જોવા બદલ આર્મી, નેવી અને ઍર ફોર્સના ચીફનો આભાર માન્યો

Published : 21 January, 2020 10:53 AM | IST | Mumbai

અજયે તાન્હાજી જોવા બદલ આર્મી, નેવી અને ઍર ફોર્સના ચીફનો આભાર માન્યો

અજય દેવગન

અજય દેવગન


‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને આર્મી, નેવી અને ઍર ફોર્સનાં પ્રમુખોએ જોઈ એ માટે અજય દેવગને સૌનો આભાર માન્યો હતો. આ ત્રણેય પ્રમુખો માટે રવિવારે દિલ્હીમાં સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી. આ પ્રમુખોની સાથે જ અજય દેવગન અને હરિંદર સિક્કા પણ હાજર હતાં. હરિંદર સિક્કાએ ‘કૉલિંગ સેહમત’ લખી હતી, જેનાં પરથી જ ‘રાઝી’ બનાવવામાં આવી હતી. આ ત્રણેય પ્રમુખો અને હરિંદર સિક્કા સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘સેનાનાં ત્રણેય પ્રમુખો સાથે સમય પસાર કરીને ખૂબ સન્માન અનુભવી રહ્યો છું. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને આટલો પ્રેમ આપવા બદલ આભાર.’

તાન્હાજી : ધ અનસંગ વૉરિયરએ દસ દિવસમાં કર્યો ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ



મુંબઈ : ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ દસ દિવસમાં ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ કર્યો છે. દસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તેમનાં પ્રશંસનિય પર્ફોર્મન્સથી બૉક્સ-ઑફિસ પર કલેક્શન જબરદસ્ત થઈ રહ્યું છે. આ ફિલ્મ ૧૫૦ કરોડમાં બની હતી. રિલીઝનાં બીજા અઠવાડિયે જ આ ફિલ્મે ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ઇતિહાસને દેખાડતી આ ફિલ્મને ઉત્તર પ્રદેશમાં અને હરિયાણામાં ટૅક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મે બીજા રવિવારે પણ જંગી એટલે કે ૨૨.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 10:53 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK