જયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ `ગેંગ્ઝ ઑફ વાસેપુર` ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.