સુનીલ ગ્રોવરનું કહેવું છે કે ‘સનફલાવર’ની સ્ટોરી ખૂબ જ અદ્ભુત હોવાથી તેણે એ માટે તૈયારી દેખાડી હતી.
સુનિલ ગ્રોવર
સુનીલ ગ્રોવરનું કહેવું છે કે ‘સનફલાવર’ની સ્ટોરી ખૂબ જ અદ્ભુત હોવાથી તેણે એ માટે તૈયારી દેખાડી હતી. આ શોની બીજી સીઝન આવી રહી છે. આ પાત્રને ઑફર કરવા વિશે સુનીલે કહ્યું કે ‘મારા માટે સૌથી મહત્ત્વની સ્ટોરી છે અને ત્યાર બાદ ડિરેક્ટર છે. મારા ડિરેક્ટર સાથે મારા સંબંધ અને મારી અન્ડરસ્ટૅન્ડિંગ સારાં હોવાં જોઈએ. પાત્રને કેવી રીતે લખવામાં આવ્યું છે એ પણ મારા માટે મહત્ત્વનું છે. હું પોતાને પૂછું છું કે બીજા દિવસે શું મારે શૂટિંગ માટે જવું છે અને જો જવાબ હા હોય તો હું એ પસંદ કરી લઉં છું.’
વધુ કામ કરવું કે સિલેક્ટિવ એ વિશે વાત કરતાં સુનીલે કહ્યું કે ‘હું એ રીતે નથી જોતો. શો અને સ્ટોરી સારાં હોવાં જોઈએ. જો સ્ટોરી સારી હોય અને મને લાગે કે મારે એ કરવો જોઈએ તો એક, બે, ત્રણ હું ગમે એટલા શો કરી શકું છું. પ્રોજેક્ટની સ્ટોરી મને પસંદ પડવી જોઈએ. મારી પાસે સમય હશે તો હું કરીશ અને નહીં હોય તો હું નહીં કરું. શો પસંદ પડે એવા હોવા જોઈએ. ક્વૉન્ટિટી મૅટર નથી કરતી, પરંતુ ક્વૉલિટી કરે છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)