‘બાતેં કુછ અનકહી સી’ પર પડદો પડવા પર તેણે દુઃખ વ્યક્ત કર્યું
શિબા આકાશદીપ
‘બાતેં કુછ અનકહી સી’ સિરિયલ હવે ૧૧ માર્ચે બંધ થવાની છે. એને કારણે આખી ટીમ દુખી છે. આ શો સ્ટાર પ્લસ પર ગયા વર્ષે ઑગસ્ટમાં શરૂ થયો હતો. આ શોમાં સાયલી સાળુંખે, મોહિત મલિક અને શીબા આકાશદીપ જોવા મળે છે. શોમાં પમ્મી સૂદના રોલમાં શીબા જોવા મળી રહી છે. શો બંધ થવાનો હોવાથી લાગણી વ્યક્ત કરતાં શીબાએ કહ્યું કે ‘આખી કાસ્ટ અને ક્રૂ માટે આ હાર્ટબ્રેકિંગ છે. સારું નથી લાગી રહ્યું. મારી કરીઅરમાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે કાંઈક પૂરું થઈ રહ્યું છે અને એને કારણે મારા દિલમાં ખાલીપો લાગી રહ્યો છે. એમાંથી બહાર આવતાં મને સમય લાગશે. હું એમ નહીં કહું કે એ ખોટો નિર્ણય છે. તમે ક્યારેક જીતો છો તો ક્યારેક હારો છો, પરંતુ હું એટલું કહીશ કે આ શોએ મને ઘણુંબધું આપ્યું છે. મેં આજીવન માટે ફ્રેન્ડ્સ બનાવ્યા છે. શોના પ્રોડ્યુસર રાજન શાહી જેવા પ્રોડ્યુસર મેં મારી લાઇફમાં કદી નથી જોયા. તેઓ અલગ છે. પમ્મી બુઆએ મને ઘણું શીખવ્યું છે. તેણે મારી અંદરની કૉમેડિયનને બહાર કાઢી છે. હું હવે નેગેટિવ રોલને કૉમિક વિલનમાં દેખાડી શકું છું. સૌથી અગત્યનું એ કે મેં આખા અનુભવને એન્જૉય કર્યો છે. આ રોલ ભજવતી વખતે હું ખરેખર પમ્મી બુઆ બની ગઈ હતી. આ અનુભવ મારી કરીઅરની હાઇલાઇટ છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)