દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ લકીરો (Lakiro)ના અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar ) અને દીક્ષા જોશી (Deeksha Joshi)નું કહેવું છે કે આ ફિલ્મ એક છોકરી અને છોકરાની માનસિકતાનો અરિસો છે. સબંધોમાં અસલામતી, અકળામણ, બંધન હોય ત્યારે એ એવા મુકામ પર આવે છે જ્યારે તેમાં માત્ર ગુંગળામણ રહી જાય છે પણ શું એનો અર્થ એમ કે એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ જાય? આવી જ કંઇક વાત છે લકીરો ફિલ્મમાં પણ. દીક્ષા અને રોનકે એકબીજા સાથેની દોસ્તી, સંબંધોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી અભિગમ જેવા મુદ્દાઓ પર વાત કરી ત્યારે નવા જ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા - જુઓ શું કહે છે આ અભિનેતાઓ?