આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે જાણો કેમ થાય છે ડિરેક્ટર વિરલની સવાર
વિરલ શાહ
જાણીતા દિગ્દર્શક વિરલ શાહ જે તેમની ફિલ્મો માટે ખૂબ જ લોકપ્રિય થયા છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જાણીએ તેમના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે.
એ તો બધાં જાણે જ છે કે દિગ્દર્શક વિરલ શાહના જીવનમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અને યોગનું કેટલું મહત્વ છે. તેઓ ક્યારેય પોતાના રોજિંદા જીવનમાં કરવામાં આવતાં કામ જેમ કે તેમનું યોગ ક્યારેય મિસ કરતાં નથી. અહીં દર્શાવવમાં આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે દિગ્દર્શક વિરલ શાહ ફિઝિકલી કેટલા ફિટ અને ઍક્ટિવ છે.
ADVERTISEMENT
ગોળકેરી અને મિડનાઇટ વિથ મેનકા જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શકને આટલી સારી એનર્જી ક્યાંથી મળે છે જો તેનો ભેદ જાણવો હોય તો તમને જણાવીએ કે તેનું સીક્રેટ આજે વિરલ શાહે શૅર કર્યું છે. વિરલ શાહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે એવું કયું પીણું છે જે તેમની માટે ઇમ્યૂનિટી બૂસ્ટરનું કામ કરે છે.
ગોળકેરીના ડિરેક્ટર વિરલ શાહ હાલ પોતાની ફિલ્મોની સ્ક્રીપ્ટની ડ્રાફ્ટિંગ કરવામાં વ્યસ્ત છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો વિરલ શાહ હાલ પોતાની આગામી ફિલ્મ માટે કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ દિગ્દર્શક પોતાનું ડબિંગ સેશન ફરી શરૂ કરવા સ્ટુડિયો જશે અને તે પોતાની મલ્હાર સાથેની ફિલ્મ કેસરિયામાં કામ કર્યું છે. જેમાં મલ્હાર ઠાકરે રાઇટર તરીકે જોવા મળશે.