Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેહા કક્કડ પર કેમ કેસ કરવો છે ફાલ્ગુની પાઠકને?

નેહા કક્કડ પર કેમ કેસ કરવો છે ફાલ્ગુની પાઠકને?

Published : 25 September, 2022 01:36 PM | Modified : 25 September, 2022 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીતના રીમેક માટે ફાલ્ગુની પાઠકનો સંપર્ક કરવામાં નહોતો આવ્યો

નેહા કક્કડ પર કેમ કેસ કરવો છે ફાલ્ગુની પાઠકને?

નેહા કક્કડ પર કેમ કેસ કરવો છે ફાલ્ગુની પાઠકને?


ફાલ્ગુની પાઠકને હાલમાં નેહા કક્કડ પર કેસ કરવાની ઇચ્છા છે, પરંતુ તે કરી નથી શકતી. દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક તેના આઇકૉનિક સૉન્ગ ‘મૈંને પાયલ હૈ છનકાઇ...’ માટે પણ જાણીતી છે. આ ગીત નેહા કક્કડ દ્વારા રીમેક કરવામાં આવ્યું છે એથી સોશ્યલ મીડિયા પર નેહા કક્કડ ખૂબ ટ્રોલ થઈ રહી છે. આ ગીત લોકોને જરાય નથી ગમ્યું તેમ જ તેમના દ્વારા જે કમેન્ટ કરવામાં આવી રહી છે એને ફાલ્ગુની પાઠક તેની સ્ટોરીમાં શૅર પણ કરી રહી છે. આ ગીત ફાલ્ગુનીએ ૧૯૯૯માં રિલીઝ કર્યું હતું. આ ગીત વિશે વાત કરતાં ફાલ્ગુનીએ કહ્યું કે ‘મારા ઓરિજિનલ ગીતને જે પ્રેમ મળી રહ્યો છે એ જોઈને હું ગદ્ગદ થઈ ગઈ છું. આથી મારે આ ફીલિંગ્સ તેમની સાથે શૅર કરવી રહી.’

આ ગીતના રીમેક માટે ફાલ્ગુની પાઠકનો સંપર્ક કરવામાં નહોતો આવ્યો. એક યુઝરે ફાલ્ગુનીને ઇન્સ્ટાગ્રામ પર નેહા કક્કડ પર કેસ કરવાનું કહ્યું હતું. આ સંદર્ભે ફાલ્ગુનીએ કહ્યું કે ‘કાશ, હું એ કરી શકી હોત, પરંતુ ગીતના રાઇટ્સ મારી પાસે નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK