Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે શાહરુખની સંસ્થા

એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે શાહરુખની સંસ્થા

Published : 25 September, 2023 07:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન અન્ય એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે. તેનું માનવું છે કે આ રીતે તે લોકોના ચહેરા પર ખુશી લાવવા માગે છે.

જવાન

જવાન


શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન અન્ય એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે. તેનું માનવું છે કે આ રીતે તે લોકોના ચહેરા પર ખુશી લાવવા માગે છે. તાજેતરમાં એક ફૅને શાહરુખને મીર ફાઉન્ડેશનનાં કાર્યો વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘અમે લોકોના જીવનમાં ખુશી લાવવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક એન્ટરટેઇનર તરીકે લોકોના ચહેરા પર ખુશી લાવવાનો મને સંતોષ હશે. જોકે એ વિશે હું વધુ કહેવા નથી માગતો. મેં મારી ટીમને જણાવ્યું છે કે આ અઠવાડિયે ‘જવાન’ના શો તમામ સામાજિક સંસ્થાઓને દેખાડવામાં આવે. એને લઈને અમને ખુશી પણ છે.’

492.04
સત્તર દિવસમાં ‘જવાન’ના હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 07:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK