ડિવૉર્સ અને ત્યાર બાદ માયોસિટિસની બીમારીને લઈને સમન્થા સતત ચર્ચામાં રહી હતી.
સમંથા રૂથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુનું કહેવું છે કે વરુણ ધવન સાથેની ‘સિટાડેલ : હની બની’ના શૂટિંગ દરમ્યાન તેની ૫૦ ટકા સ્ટ્રેંગ્થ ઓછી થઈ ગઈ હતી. ડિવૉર્સ અને ત્યાર બાદ માયોસિટિસની બીમારીને લઈને સમન્થા સતત ચર્ચામાં રહી હતી. ટ્રેઇનિંગ દરમ્યાન ખૂબ મુશ્કેલી પડી હોવાની વાત કરતાં સમન્થા કહે છે, ‘હું જ્યારે ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે મારી હેલ્થ ખરાબ હતી. મારે મારી કૅલરી પણ મેઇન્ટેન રાખવાની હતી, કારણ કે હું મારી બૉડીને સ્વસ્થ થવા માટે સમય આપી રહી હતી. એ સમયે મારી સ્ટ્રેંગ્થ ૫૦ ટકા ઓછી થઈ ગઈ હતી. મારા માટે આ પ્રોસેસ ખૂબ લાંબી અને મુશ્કેલ હતી.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)