બાયોપિકમાં તેના બાળપણને પણ દેખાડવામાં આવે એવી તેની ઇચ્છા છે
રણવીર સિંહ
કરણ જોહરનું કહેવું છે કે તેની બાયોપિકમાં કામ કરવા માટે રણવીર સિંહ પર્ફેક્ટ છે. તેનું એમ પણ કહેવું છે કે તેના બાળપણ સાથે ઘણીબધી સારી યાદો જોડાયેલી છે. તેને કોઈ KJo કહીને બોલાવે તો તેને એ નથી ગમતું. તાજેતરમાં જ તેને પૂછવામાં આવ્યું હતું કે તેની બાયોપિકમાં તેના પાત્રને કોણ સારી રીતે ભજવી શકે છે? એનો જવાબ આપતાં કરણ જોહરે કહ્યું કે મને લાગે છે રણવીર સિંહ.
સાથે જ બાયોપિકમાં તેના બાળપણને પણ દેખાડવામાં આવે એવી તેની ઇચ્છા છે. એ વિશે કરણ જોહરે કહ્યું કે ‘મારું બાળપણ ખૂબ અદ્ભુત છે. મારા પેરન્ટ્સ મારી સાથે ખૂબ સારી રીતે વર્તન કરતા હતા અને તેમણે મને લાઇફના ઘણા સારા પાઠ શીખવ્યા છે. સાથે જ હું અલગ બાળક હોવાથી એ થોડું અટપટું પણ હતું. સાથે જ એક બાળક તરીકે મારી સાથે થોડા કડવા અનુભવો પણ થયા હતા. અન્યો કરતાં હું અલગ હતો. એની મારે કિંમત પણ ચૂકવવી પડી હતી. એ અઘરું હતું પરંતુ સાથે જ જોશસભર પણ હતું, કારણ કે હું જ્યારે ભૂતકાળમાં જોઉં છું તો મને એ તબક્કામાંથી ઘણુંબધું શીખવા મળ્યું છે.’
ADVERTISEMENT