Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કારગિલ દિવસ નિમિત્તે સિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ`શેરશાહ` નું ટ્રેલર કારગિલમાં જ લૉન્ચ કરાયું

કારગિલ દિવસ નિમિત્તે સિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ`શેરશાહ` નું ટ્રેલર કારગિલમાં જ લૉન્ચ કરાયું

26 July, 2021 04:09 PM IST | Kargil
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ટ્રેલર રિલીઝમાં ભારતીય સૈન્યએ પણ ફિલ્મના સમર્થનમાં આ પ્રસંગે હાજરી આપી હતી. ચીફ  ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કાસ્ટ ઉપરાંત ભારતીય સૈન્યના તમામ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

ફિલ્મ `શેર શાહ` 12 ઓગસ્ટે સીધી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ `શેર શાહ` 12 ઓગસ્ટે સીધી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.


આજે કારગિલ દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા પરમ વીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારીત તેમની ફિલ્મ `શેરશાહ` નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતા કરણ જોહરે ટ્રેઇલર રિલીઝ માટે કારગિલમાં વિશેષ વ્યવસ્થા કરી હતી. આ ટ્રેલર રિલીઝમાં ભારતીય સૈન્યએ પણ ફિલ્મના સમર્થનમાં આ પ્રસંગે હાજરી આપી હતી. ચીફ  ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કાસ્ટ ઉપરાંત ભારતીય સૈન્યના તમામ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પાલમપુરમાં જન્મેલા વિક્રમ બત્રાએ સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા પાસ કર્યા પછી 1996 માં ભારતીય લશ્કરી એકેડેમી, દહેરાદૂનમાંથી પાસ થયા હતા. 24 વર્ષની ઉંમરે, 7 જુલાઈ 1999 ના રોજ પાકિસ્તાન સામે લડતા કારગિલ યુદ્ધમાં તે શહીદ થયો હતો. તેમને સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર દેશ દર વર્ષે 26 જુલાઇએ કારગિલ વિજય દીવસની ઉજવણી કરે છે. આ પ્રસંગે, કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે, દેશ આ શહીદોની બહાદુરી અને બલિદાનની કથાઓ પણ પુનરાવર્તન કરે છે. કારગિલ વિજય દીવસની પૂર્વસંધ્યાએ ફિલ્મ `શેર શાહ` નું ટ્રેલર રિલીઝ કરતી વખતે તેના નિર્માતા કરણ જોહર ખૂબ ભાવુક થયા હતા.



ફિલ્મ `શેર શાહ` વિશે તેના નિર્માતા કરણ જોહરે કહ્યું, `આ ફિલ્મ એક યુદ્ધ નાયકની સાચી વાર્તા છે, જેની કલ્પી ન શકાય હિંમત અને બહાદુરીથી દેશને વિજય મળ્યો. તેમનું બલિદાન અમૂલ્ય છે અને તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ફિલ્મ `શેરશાહ` એ આપણા સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ છે અને મને આશા છે કે આ ફિલ્મ જોયા પછી દરેક દર્શકોનું હૃદય ગર્વથી ભરાઈ જશે. "


આ પ્રસંગે સિધ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, દિગ્દર્શક વિષ્ણુ વર્ધન, અપૂર્વા મહેતા, શબ્બીર બૉક્સવાલા, અને વિજય સુબ્રમણ્યમ, સાથે સી.ડી.એસ. બિપિન રાવત અને જનરલ કમાન્ડિંગ-ઇન-ચીફ, નોર્ધન કમાંડ જનરલ વાય.કે. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કારગિલમાં એકઠા થયેલા આ લોકોએ 1999 ના કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા તમામ શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


ફિલ્મ `શેરશાહ`ના ટ્રેલર લોંચ થયા બાદથી જ નિર્માતા કરણ જોહર કેમ્પમાં એક્સાઇટમેન્ટનું વાતાવરણ છે. આ ફિલ્મમાં પરફોર્મન્સ બધા સ્ટાર્સે સિદ્ધાર્થ મલ્હોત્રાના કામની પ્રશંસા પણ કરી છે. કેપ્ટન વિક્રમ બત્રા અને અભિનેતા અક્ષય કુમારનો જન્મદિવસ એ જ તારીખે એટલે કે 9 સપ્ટેમ્બર છે. ટ્રેલર પર પ્રતિક્રિયા આપતાં અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "સ્ક્રીન પરનો હીરો વાસ્તવિક જીવનના હીરોને કેટલી સારી શ્રદ્ધાંજલિ આપી શકે છે, સિવાય કે તમારું બલિદાન અમને જીવનભર પ્રેરણા આપે છે." વરુણ ધવન, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન, વિકી કૌશલ અને અનન્યા પાંડે જેવા કરણ જોહર કેમ્પના બીજા બધા સ્ટાર્સે પણ ફિલ્મ `શેરશેહ` ના ટ્રેલરની પ્રશંસા કરતા સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સ મૂકી છે. ફિલ્મ `શેર શાહ` 12 ઓગસ્ટે સીધી ઓટીટી એમેઝોન  પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2021 04:09 PM IST | Kargil | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK